ડાંગ જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંવાદ કર્યો

author img

By

Published : Sep 12, 2020, 7:56 PM IST

Governor Acharya Devvart had a "dialogue" with the farmers of Dang district

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચે રહેલા સુક્ષ્મ ભેદને સ્પષ્ટ કરતા ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સાથે સંવાદ સાધતા તેમને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો અનુરોધ કર્યો હતો.

ડાંગ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મળતા ઉત્પાદનોની ગુણવત્તા અને તેની બજાર કિંમતને કારણે ખેડૂતોની આવક બમણી કરવા સાથે જળ, જમીન, અને ગાયની નસ્લને દુષિત થતી બચાવવા એ આપણી સહિયારી જવાબદારી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશ વિના સ્વયં 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતા રાજ્યપાલે તેમની ખેતીના સ્વાનુભાવો વર્ણવી ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે દેશી ગાયના જતન, સંવર્ધન સાથે સૌના સહિયારા પ્રયાસોથી ખેડૂતોના કલ્યાણની દિશામાં આગળ વધવાની અપીલ કરી હતી.

Governor Acharya Devvart had a
ડાંગ જિલ્લાના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંવાદ કર્યો
પ્રાકૃતિક ખેતીની સૂક્ષ્મ છણાવટ સાથે રાજ્યપાલે ખેડૂતોના સાચા મિત્ર એવા અળસીયાની ઉપયોગીતા અંગેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. જમીન સુધારણાની ખૂબ જ અગત્યની કામગીરી કરતા અળસીયાને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી બચાવવાની અપીલ કરતા રાજ્યપાલે જમીનની તાસીર સુધારવાના સંકલ્પ સાથે ડાંગના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યા હતા.ગિરિમથક સાપુતારા સ્થિત સાંદીપની સ્કુલ ખાતે આયોજિત "ખેડૂત સંવાદ" કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, પ્રાયોજના વહીવટદાર કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, ખેતીવાડી અધિકારી સુનીલ પટેલ, બાગાયત અધિકારી તુષાર ગામીત, જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.