ETV Bharat / state

ઉંમરગામ-વાપીમાં વરસાદી મહેર બની કહેર

author img

By

Published : Jul 8, 2019, 2:39 AM IST

ઉંમરગામ-વાપીમાં વરસાદી મહેર બની કહેર

વાપી: ઉંમરગામના ખતલવાડા વિસ્તારમાં મેઘરાજાનો કહેર વરસ્યો હતો. ખતલવાડા બ્રિજ નજીક પાણીનો ભરાવો થતા વાહનચાલકો અને આસપાસના રહીશોની હાલત કફોડી બની હતી. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને બીજા વિસ્તારમાં જવા માટે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

ખતલવાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પણ લોકોના ઘરો પર ઝાડ ધરાશાયી થયા હતાં. ઝાડ પડતા ઘણા લોકો બેઘર બન્યા હતાં. જેના કારણે ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. તંત્રની મદદ પણ સમયસર મળી ન હતી. ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં પણ લોકોની દુકાનમાં પાણી ફરી વળ્યા હતા. વાપી રેલ્વે સ્ટેશન નજીક બની રહેલા નવા રેલવે ટ્રેક નહેરમાં ફેરવાઈ ગયા હતા. વાપી નજીક બની રહેલા ફ્રેઈટ કોરિડોર માટેની નવી રેલ લાઇનના કામમાં ભારે નુકસાની થઈ હતી અને કામગીરી સ્થગિત કરવી પડી હતી.

ઉંમરગામ-વાપીમાં વરસાદી મહેર બની કહેર

ભારે વરસાદના કારણે વાપી રેલવે સ્ટેશન નજીકના એપાર્ટમેન્ટ પાણીમાં તરબોળ બન્યાં હતાં. જિલ્લામાં ક્યાંક વરસાદ મહેર બન્યો હતો, તો વાપી અને ઉંમરગામ વિસ્તારમાં કહેર બનીને તૂટી પડ્યો હતો. જેમાં મોટાપાયે નુકસાની સર્જાઈ હતી. જે અંગે ચોક્કસ આંકડો તો વહીવટીતંત્ર જ્યારે સર્વે કરશે ત્યારે જ બહાર આવશે.

Intro:વાપી :-  વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. જિલ્લામાં એક તરફ વરસાદ મહેર બન્યો હતો. તો, ઉમરગામમાં અને વાપીમાં કહેર બનીને તૂટી પડ્યો હતો.Body:ઉમરગામના ખતલવાડા વિસ્તારમાં મેઘરાજાનો કહેર વરસ્યો હતો.ખતલવાડા બ્રિજ નજીક પાણીનો ભરાવો થતા વાહનચાલકો અને આસપાસના રહીશોની હાલત કફોડી બની હતી. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને બીજા વિસ્તારમાં જવા માટે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. જ્યારે વરસાદી પાણી રોડ ઉપર ફરી વળતાં કેટલાક લોકોએ ઘરે બેસવાનું પસંદ કર્યું હતું. 



ખતલવાડા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પણ લોકોના ઘરો પર ઝાડ પડયા હતાં. ઝાડ પડતા ઘણા લોકો બેઘર બન્યા હતાં. અને ભારે  નુકશાન વેઠવું પડયું હતું. લોકો તંત્રના મદદની રાહ જોતા હતા. પરંતુ તંત્રની મદદ પણ સમયસર મળી નહોતી. ઝાડ પડતા વાહન વ્યવહારને પણ નુકશાન થયું હતું.


ઉમરગામ સ્ટેશન વિસ્તારમાં પણ લોકોની દુકાનમાં પાણી ફરી વળયા હતા. ઉમરગામના ટુંભ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરાવાયો હતો. અને જાહેર ચેતવણીના બોર્ડ લગાવાયા હતાં. લોકોએ મેઘરાજાની કહેરનો સામનો કરવો પડ્યો હતો.


ઉમરગામ અને વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ફરી વળતા આ વિસ્તારમાં આવેલા શોપિંગ મોલના વેપારીઓને ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને પણ નુકશાન પહોંચ્યું હતું. વાપી રેલવે સ્ટેશન નજીક બની રહેલા નવા રેલવે ટ્રેક નહેરમાં ફેરવાઈ ગયો હતો. વાપી નજીક બની રહેલા ફ્રેઈટ કોરિડોર માટેની નવી રેલ લાઇનના કામમાં ભારે નુકસાની થઈ હતી. અને કામગીરી સ્થગિત કરવી પડી હતી.

Conclusion:ભારે વરસાદના કારણે વાપી રેલવે સ્ટેશન નજીક ના એપાર્ટમેન્ટ પણ પાણીમાં તરબોળ બન્યા હતા. ટૂંકમાં જિલ્લામાં ક્યાંક વરસાદ મહેર બન્યો હતો તો વાપી અને ઉમરગામ વિસ્તારમાં કહેર બનીને તૂટી પડ્યો હતો. જેમાં મોટાપાયે જાનમાલની ખુવારી સર્જાઈ છે. જે અંગે ચોક્કસ આંકડો તો, વહીવટીતંત્ર જ્યારે સર્વે કરશે ત્યારે જ બહાર આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.