ETV Bharat / state

વલસાડની NR અગ્રવાલ કંપનીમાં આગ અને ગેસની ગળતરથી અફરાતફરી

author img

By

Published : May 30, 2019, 9:18 AM IST

સરીગામ NR અગ્રવાલ કંપનીમાં આગ અને ગેસની ગળતર થતા મચી અફરાતફરી

વલસાડઃ સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી NR અગ્રવાલ કંપનીમાં આગ લાગવાની ઘટના સાથે અચાનક ધુમાડા સાથે ગેસ ગળતર જેવી ઘટના બનતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ભારે મહેનત બાદ સ્થિતિ નિયંત્રણમાં લાવી દેતા કામદારો, સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉમરગામ તાલુકાના સરીગામ GIDC નજીક ગામ વિસ્તારમાં આવેલ એન.આર અગ્રવાલ કંપનીમાં સાંજે 6 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. NR અગ્રવાલ કંપનીના ડ્રાય ઈન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ વિભાગ, મટિરિયલ વિભાગમાં રાખેલા કેમિકલ પાવડરમાં આગ લાગી હતી. અને પાઉડર કેમિકલમાં અચાનક આગ લાગતા કંપનીમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળતા અંદર કામ કરતા કામદારોને ગુંગળામણ અને આંખમાં બળતરા પામતા કંપનીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વલસાડની NR અગ્રવાલ કંપનીમાં આગ અને ગેસની ગળતરથી અફરાતફરી

આ ઘુમડાની અસરને કારણે કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હોય એવો માહોલ સર્જાયો હતો, ત્યાર બાદ કંપનીના સંચાલકોએ ફાયર વિભાગને જાણ કરી કામદારો અને કર્મચારીઓને સહીસલામત કંપનીની બહાર લઈ જવાય હતા. NR અગ્રવાલ કંપનીનો ફાઇર કોલ આવતા સરીગામ ફાયર જવાનો તથા ફાયર બોલ સહિત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તથા મટેરિયલ વિભાગમાં લાગેલી આગને ગણતરીની કલાકોમાં કાબૂમાં લઈ લીધી હતી.

જો કે ઉપરોક્ત ઘટનામાં કોઈ કામદાર કે અન્ય કોઈ વ્યક્તિને જાનહાનિની ઘટના ન બની હોય તેવું જણાયું હતું. આગની ઘટનાની જાણકારી સરીગામ,ભીલાડ પોલીસ મથકને મળતા શાંતિ સલામતી માટે તેઓ પણ તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તથા કંપનીમાં આગની ઘટના બનતા કંપનીમાં મોટી નુકસાની થઈ હોય એવું બિન સત્તાવર જાણવા મળી રહ્યું છે.

Slug :- સરીગામ નજીક N R અગ્રવાલ કંપનીમાં આગ અને ગેસની ગળતર થતા મચી અફરાતફરી 

Location :- સરીગામ

સરીગામ :- સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ N R અગ્રવાલ કંપનીમાં આગ લાગવાની ઘટના સાથે અચાનક ધુમાડા સાથે ગેસ ગળતર જેવી ઘટના બનતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ભારે મહેનત બાદ સ્થિતિ નિયંત્રણમાં લાવી દેતા કામદારો, સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


ઉમરગામ તાલુકાના સરીગામ GIDC નજીક ગામ વિસ્તારમાં આવેલ એન.આર અગ્રવાલ કંપનીમાં સાંજે 6 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. N R અગ્રવાલ કંપનીના ડ્રાય ઈન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ વિભાગ, મટિરિયલ વિભાગમાં રાખેલા કેમિકલ પાવડરમાં આગ લાગી હતી. પાઉડર કેમિકલમાં અચાનક આગ લાગતા કંપનીમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળતા અંદર કામ કરતા કામદારોને ગુંગળામણ અને આંખમાં બળતરા પામતા કંપનીમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘુમડાની અસરને કારણે કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હોય એવો માહોલ સર્જાયો હતો. ત્યાર, બાદ કંપનીના સંચાલકોએ ફાયર વિભાગને જાણ કરી કામદારો અને કર્મચારીઓને સહીસલામત કંપનીની બહાર લઈ જવાય હતા. N R અગ્રવાલ કંપનીનો ફાઇર કોલ આવતા સરીગામ ફાયર જવાનો તથા ફાયર બોલ સહિત ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તથા મટેરિયલ વિભાગમાં લાગેલી આગને ગણતરીની કલાકોમાં કાબૂમાં લઈ લીધી હતી. 

 કેમિકલ પાઉડરમાં આગ લાગવાની કારણે ગેસ ગળતર જેવી ઘટના ઉદભવતા તેને કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે ઉપરોક્ત ઘટનામાં કોઈ કામદાર કે અન્ય કોઈ વ્યક્તિને જાનહાનિની ઘટના ન બની હોય તેવું જણાયું હતું. આગની ઘટનાની જાણકારી સરીગામ,ભીલાડ પોલીસ મથકને મળતા શાંતિ સલામતી માટે તેઓ પણ તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તથા કંપનીમાં આગની ઘટના બનતા કંપનીમાં મોટી નુકસાની થઈ હોય એવું બિન સત્તાવર જાણવા મળી રહ્યું છે.

Video spot send FTP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.