બોટાદ: જિલ્લાનો વિદ્યાર્થી સમીર ગુલામ બાવળીયા ચાઇનામાં આવેલા વુહાનના સિયાંનીગમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને હાલમાં ચીનમાં કોરોના વાઇરસનો ફેલાવો થવાના કારણે તે ચીનમાં ફસાયો છે. વિદ્યાર્થી ભારત પરત આવવા માગે છે, પરંતુ હાલમાં બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતી ન હોવાથી તે ચીનમાં ફસાયો છે.
સમીર બાવળીયાના પરિવારને સમીરની ચિંતા સતાવે છે. જેથી તેમણે સમીરને પરત લાવવા માટે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાંથી 30 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જેમાં અમદાવાદ, કચ્છ, તેમજ બોટાદનો એક વિદ્યાર્થી એમ ગુજરાતના કુલ 3 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે.