ETV Bharat / state

અલંગ ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનાને લઇ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

author img

By

Published : Nov 14, 2019, 5:03 PM IST

Ship break

ભાવનગરઃ બુધેલ નજીક શિપ બ્રેકર પર કેટલાક અસામાજિક ઇસમો દ્વારા હુમલો કરી અને લૂટ ચલાવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ પગલે શિપ બ્રેકરો સહીતના તમામ નાનામોટા સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુરૂવારના રોજ અલંગ તેમજ હીરા ઉદ્યોગ બંધ પાળી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી. એસોસિએશન દ્વારા આપવામાં આવેલ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

ભાવનગર-અલંગ રોડ પર બુંધેલ નજીક બુધવારના રોજ અલંગના અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ માંગુકિયા તેમજ અન્ય શિપબ્રેકરો સાથે કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે બુધેલના સરપંચ ભવાનીસિંહ તેમજ દાનસંગ મોરી સહિતનાઓ હુમલો કરી માર મારવાની ઘટના બની હતી. આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી અને ભોગબનાનાર ઉદ્યોગપતિઓ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને કલેકટરને આ બાબતે રોષભેર રજૂઆત કરી હતી.

અલંગ ઉદ્યોગપતિ પર હુમલાની ઘટનાને લઇ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

આ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ , સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, તથા ચેમ્બરની સાથે સંકળાયેલી ૫૮ જેટલી નાની મોટી સંસ્થાઓ આ બંધ એલાનમાં જોડાઈ હતી અને ગુરૂવારના રોજ બંધ રાખ્યુ હતું. તમામ સંસ્થાઓના પ્રતિનિધિ, આગેવાનો, વેપારીઓ તેમજ શિપબ્રેકરો મોટી સંખ્યામાં ભાવનગર ખાતે આવેલ શિપ બ્રેકીંગ એસોસીએશનની ઓફિસે એકઠા થઈ બેનરો, પોસ્ટરો સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજી હતી.

આ રેલીમાં સંખ્યાબળ દેખાડવા માટે અલંગ ખાતેથી મોટી સંખ્યામાં મજુરોને પણ લાવવામાં આવ્યા હતાં. આ વિશાળ રેલી કલેકટર કચેરીએ જઈ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે કલેકટર કચેરી નજીક રોડ ચક્કાજામ કરી દેવાયો હતો. તેમજ કેટલાક બિલ્ડર અગ્રણીઓએ રોડ પર સુઈ જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને અસામાજિક તત્વો સામે તાકીદે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ તત્વો બુધેલ અને આજુ-બાજુના વિસ્તારોમાં ગુંડાગીરી કરી નાનામોટા ઉદ્યોગકારોને હેરાન કરી રહ્યા છે. દાનસંગ મોરી સામે આ પહેલા પણ અનેક કેસો થયા હોવા છતાં આજે બિન્દાસ્ત ફરી રહ્યા છે જેવી ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી.

કલેકટરે પણ તેમની રજુઆતો ધ્યાને લઈને તેમની સામે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તે કરશે તેવી બાહેંધરી આપી હતી. આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને પોલીસ દ્વારા તાકીદે દાનસંગ મોરી સહિતના જે ઇસમો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ કેસની તપાસ માટે ભાવનગર રેંજ IG દ્વારા SRTની રચના કરવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભાવનગરના DYSP કરશે. તેમજ આ ટીમમાં વરતેજ PSI, LCB, PI તેમજ અન્ય બે PI રહેશે અને તાકીદે આરોપીને ઝડપી લેવાના તમામ પગલા પણ લેવામાં આવ્યા છે. આ કેસમાં બે ઇસમની ધરપકડ પણ કરી હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ જ દાનસંગ મોરી અને જીતુભાઈ વાઘાણીને છેલ્લા ઘણા વર્ષોથી ખટરાગ ચાલી રહ્યો છે અને જીતુભાઈ વાઘાણી વિરુદ્ધ અનેકવાર રાજપૂત સમાજને એકઠા કરી અને મોરચો માંડ્યો હતો, જો એક ચુંટણી સમયે દાનસંગ મોરી પરના બધા કેસ પરત ખેચી લેવાની બાહેંધરી બાદ અમિત શાહની હાજરીમાં સમાધાન થયું હતું અને ત્યારબાદ કેસો પરત નહિ ખેચાતા ફરી બુધેલ ખાતે રાજપૂત સમાજનું સંમેલન મળતા ફરી વિવાદ સળગ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના બાદ હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Intro:એપૃવલ : વિહાર સર
ફોર્મેટ : એવીબી

ભાવનગરના બુધેલ નજીક શીપબ્રેકર પર કેટલાક અસામાજિક ઇસમો દ્વારા હુમલો કરી અને લૂટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી ના પગલે શીપ બ્રેકરો સહીતના તમામ નાનામોટા સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને આજે અલંગ તેમજ હીરા ઉદ્યોગ બંધ પાળી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી, જો કે એસોસિએશન દ્વારા આપવામાં આવેલ બંધ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
Body:ગઈકાલે ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ માંગુકિયા તેમજ અન્ય શીપબ્રેકરો સાથે કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે બુધેલના સરપંચ ભવાનીસિંહ તેમજ દાનસંગ મોરી સહિતનાઓ હુમલો કરી મારમારવાની ઘટના બની હતી, આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી અને ભોગબનાનાર ઉદ્યોગપતિઓ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને કલેકટરને આ બાબતે રોષભેર રજૂઆત કરી હતી, જયારે આ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, અલંગશિપ બ્રેકીંગયાર્ડ , સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, તથા ચેમ્બર ની સાથે સંકળાયેલી ૫૮ જેટલી નાની મોટી સંસ્થાઓ આ બંધમાં જોડાઈ હતી અને આજે બંધ પાળ્યો હતો.આજે તમામ સંસ્થાઓના પ્રતિનિધિ,આગેવાનો વેપારીઓ તેમજ શીપબ્રેકરો મોટી સંખ્ય્યમાં ભાવનગર રૂપાણી ખાતે આવેલ શીપ બ્રેકીંગ એસોસીએશનની ઓફિસે એકઠા થઈ બેનરો,પોસ્ટરો સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજી હતી, આ રેલીમાં સંખ્યાબળ દેખાડવા માટે અલંગ ખાતેથી મોટી સંખ્યામાં મજુરોને પણ લાવવામાં આવ્યા હતા, આ વિશાળ રેલી કલેકટર કચેરીએ જઈ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી, સાથે સાથે કલેકટર કચેરી નજીક રોડ ચક્કાજામ કરી દેવાયો હતો તેમજ કેટલાક બિલ્ડર અગ્રણીઓએ રોડ પર સુઈ જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે સાથે રજૂઆત કરવામાં આવી હતી કે આ અસામાજિક તત્વો સામે તાકીદે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ તત્વો બુધેલ અને આજુબાજુના વિસ્તારોમાં ગુંડાગીરી કરી નાનામોટા ઉદ્યોગકારો ને હેરાન કરી રહ્યા છે, દાનસંગ મોરી સામે આ પહેલા પણ અનેક કેસો થયા હોવા છતાં આજે બિન્દાસ્ત ફરી રહ્યો છે જેવી ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી, કલેકટરે પણ તેમની રજુઆતો ધ્યાને લઈને તેમની સામે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તે કરશે તેવી બાહેધરી આપી હતી.આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને પોલીસ દ્વારા તાકીદે દાનસંગ મોરી સહિતના જે ઇસમો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ કેસની તપાસ માટે ભાવનગર રેંજ આઈજી દ્વારા એસ.આઈ.ટી ની રચના કરવામાં આવી છે જેની અધ્યક્ષતા ભાવનગર ના ડીવાયએસપી કરશે તેમજ આ ટીમ માં વરતેજ પીએસાઈ, એલસીબી પી.આઈ તેમજ અન્ય બે પીઆઈ રહેશે અને તાકીદે આરોપી ને ઝડપી લેવાના તમામ પગલા પણ લેવામાં આવ્યા છે, આ કેસમાં બે ઇસમની ધરપકડ પણ કરી હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે આ જ દાનસંગ મોરી અને જીતુભાઈ વાઘાણી ને છેલ્લા ઘણા વર્ષોથી ખટરાગ ચાલી રહ્યો છે અને જીતુભાઈ વાઘાણી વિરુદ્ધ અનેકવાર રાજપૂત સમાજને એકઠા કરી અને મોરચો માંડ્યો હતો,જો એક ચુંટણી સમયે દાનસંગ મોરી પરના બધા કેસ પરત ખેચી લેવાની બાહેધરી બાદ અમિત શાહની હાજરીમાં સમાધાન થયું હતું અને ત્યાર બાદ કેસો પરત નહિ ખેચાતા ફરી બુધેલ ખાતે રાજપૂત સમાજનું સંમેલન મળતા ફરી વિવાદ સળગ્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના બાદ હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

બાઈટ-અશોકકુમાર યાદવ- (ડીઆઈજી. ભાવનગર રેન્જ.)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.