ETV Bharat / state

શ્વાનનું ખસીકરણ કરતી એજન્સીને એનિમલ વેલ્ફેર બોર્ડે ફટકારી નોટિસ

author img

By

Published : Jan 22, 2021, 10:48 PM IST

ભાવનગરમાં શ્વાનની વધેલી સંખ્યા બાદ ABC પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો અને ખાનગી કંપનીને પ્રોજેકટ આપવામાં આવ્યો હતો. હાલમાં જીવદયાપ્રેમીઓએ શ્વાનની વાન પકડાવી અને નિયમ ભંગ અંગે ફરિયાદ દાખલ કર્યા બાદ હવે કેન્દ્ર એનિમલ વેલ્ફેર બોર્ડનો લેટર મનપાને આપતા હાહાકાર મચ્યો છે.

Bhavnagar
Bhavnagar

  • શ્વાન પકડવાનો કોન્ટ્રકટ લેનાર એજન્સી રદ્દ
  • ભાવનગરમાં શ્વાનની સંખ્યા 5 હજાર આસપાસ પહોંચી
  • કમિશ્નરે એજન્સી પાસે 7 દિવસમાં ખુલાસો માંગ્યો
    ખસીકરણ
    ખસીકરણ

ભાવનગર: જિલ્લામાં શ્વાનની સંખ્યા 5 હજાર આસપાસ પહોંચી ગઈ છે, ત્યારે હવે ખસીકરણનું માંડ મુહૂર્ત આવ્યું છે. તેવામાં જીવદયાપ્રેમીઓએ કમિશ્નરને કેન્દ્ર એનિમલ વેલ્ફેર બોર્ડ પ્રોજેકટ મેળવનાર એજન્સીને રદ્દ કરી હોવાનો પત્ર હાથમાં થંભાવી દેતા કમિશ્નરને ના છૂટકે કામગીરીને થોભીને દિવસ 7 માં ખુલાસો એજન્સી પાસે માંગ્યો છે.

શ્વાનને લઈને શું નવો વિવાદ થયો

ભાવનગરમાં શ્વાનની વધેલી સંખ્યા કાબુમાં લેવા માટે મનપા દ્વારા ખાસ ABC પ્રોજેકટ હેઠળ શ્વાન માટે હોસ્પિટલ બનાવી અને આશરે 500 જેટલા શ્વાનનું ખસીકરણ થઈ ચૂક્યું છે ત્યારે પ્રોજેકટ આપવામાં આવેલા કોન્ટ્રાકટરની કંપની દ્વારા બધા નિયમ નેવે મુકવામાં આવ્યા હોવાનું એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા કરાયેલા પત્રને લઈને જીવદયા પ્રેમીઓ કમિશનર પાસે પહોંચ્યા હતા.

ખસીકરણ
ખસીકરણ

પત્ર કમિશનરને આપતા કામગીરી બંધ

શ્વાન માટે અગાવ પણ જીવદયાપ્રેમીઓ અગાઉ શ્વાનની પકડવાની વાનમાં વધુ શ્વાન ભરવાને લઈને પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, ત્યારે હાલમાં કેન્દ્ર એનિમલ વેલફર બોર્ડ મનપાએ શ્વાન ખસીકરણ માટે આપેલા પ્રોજેકટની કંપની યશ ડોમેસ્ટિક રિસર્ચ સેન્ટર એજન્સીને રદ્દ કરી હોવાનો પત્ર કમિશ્નરને જીવદયાપ્રેમીઓએ આપતા કમિશ્નરે એજન્સીને 7 દિવસ કામ બંધ કરી ખુલાસા માંગવાની સાથે નોટિસ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.