શહેરના સ્લમ વિસ્તારમાં ચાવડીગેટ પોલીસ ચોકી સામે આવેલી રથયાત્રા અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા ભત્રીજા પ્રકાશ ગોંડલીયા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. એક વ્યકિત ચાવડીગેટ વિસ્તારમાં નશો કરી વેપારીઓ પાસેથી પૈસા પડાવે છે. જો વેપારી પૈસા આપવાની ના પાડે તો દુકાનને સળગાવી નાખે છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી હરુભાઈ ગોંડલીયાના ભત્રીજાએ પૈસા ન આપતા અસાજિક વર્તૂણુક ધરાવતાં વ્યક્તિએ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જે બાદ ઘટનાની ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.
ફરિયાદી હરુભાઈ ગોંડલીયાએ આક્ષેપ કર્યો હતો કે, અસામાજિક તત્વ કાછીયાવાડમાં રહે છે અને ચાવડીગેટ વિસ્તારમાં વારંવાર દરેક વેપારીને છરીની અણીએ ડરાવીને પૈસા લે છે. જે વેપારી પૈસા ના આપે તેની દુકાન સળગાવે છે. વડવા નેરા વિસ્તારમાં ગત રોજ મેડિકલની દુકાન સળગાવી હતી. તેમજ રાત્રે બાઇકોમાંથી પેટ્રોલ પણ ચોરી કરે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રકાશ ગોંડલીયા ભાજપના અગ્રણી છે. તેમણે ઘટનાની રજૂઆત PI સમક્ષ કર્યા કરી હતી. ત્યારબાદ DYSP પણ તેની નોંધ લીધી હતી. અસમાજિક વધતા ત્રાસના કારણે સ્થાનિકો ભય હેઠળ જીવવા માટે મજબૂર થયા છે. જેથી આ ઘટનાની કડક તપાસ કરી આરોપી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની લોકમાંગ પ્રબળ થઈ છે.