ETV Bharat / state

Cattle problem in Bhavnagar: ભાવનગરમાં ઢોરમાં હડકવાનો રોગ દર અઠવાડિએ એક બે કેસ

author img

By

Published : Apr 1, 2022, 5:48 PM IST

ભાવનગર શહેરમાં ઢોરની સમસ્યા (Cattle problem in Bhavnagar)માથાનો દુખાવો છે. એવામાં વધુ એક સમસ્યા લોકો માટે ઉભી થઇ છે. સ્વાન હડકાયેલા જોવા મળે છે પણ હવે ઢોરમાં પણ આ હડકવાનો રોગ(Rabies vaccine)ઘર કરી રહ્યો છે. સ્વાનના કારણે ગાયો ભોગ બની રહી છે અને ગાયોને હડકવા થતા રસ્તા પરના રાહદારીઓ માટે જોખમ બની ગયું છે. હડકવા થયેલા ઢોર કેટલા ખતરનાખ જાણો અને શું રાખશો સાવચેતી.

Cattle problem in Bhavnagar: ભાવનગરમાં ઢોરમાં હડકવાનો રોગ દર અઠવાડિએ એક બે કેસ
Cattle problem in Bhavnagar: ભાવનગરમાં ઢોરમાં હડકવાનો રોગ દર અઠવાડિએ એક બે કેસ

ભાવનગર: શહેરમાં ઢોરની સમસ્યા યથાવત છે. એક તરફ સરકાર ઢોરની સમસ્યા માટે (Rabies vaccine)કાયદાઓ પસાર કરી રહી છે. ત્યારે શહેરમાં ફરતા બિનવારસી ઢોરને જો હડકવા ઉપડે તો હા તમારી શેરીમાં ક્યાંક એવી ગાયો કે ખુટીયા નથીને જોજો નહિતર બનશો ભોગ. જાણો કેમ નક્કી કરશો કે આ હડકવા ગાય કે ખુટીયો છે.

ઢોરમાં હડકવાનો રોગ

ભાવનગરમાં ગાય કે ખુટીયા હડકવાવાળા - ભાવનગર શહેરમાં હાલમાં ઉનાળો આકારા પાણીએ છે. ગરમીમાં ગાયો અને ખુટીયા રસ્તા પર ભટકતા શેરી ગલી અને મુખ્ય માર્ગોમાં જોવા(Cattle problem in Bhavnagar) મળે છે. ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી દર બે કે ત્રણ દિવસે એક કે બે ગાયો કે ખુટીયાને હડકવા થયા હોવાના કેસ સામે આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના( Bhavnagar Fire Officer)અધિકારી એમ એમ હિરપરાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં રોજના બે થી ત્રણ દિવસે એક કે બે કેસ આવી રહ્યા છે. હડકવાના કેસ હોવાથી ઢોર કોઈને ઇજા પોહચાડે નહિ માટે સ્થળ પર જઈ તેવા ઢોરને એક સ્થળે બાંધી દેવામાં આવે છે. મહિને 30 આસપાસ કેસો ઢોરમાં હડકવાના આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઘર ઘર ઠક ઠક કરતા ઢોરનો ત્રાસ: ભાવનગરના રસ્તા બાદ ઘરના દરવાજે પણ જોખમ

ગાયને કે ખુટીયાને હડકવા કેમ ખ્યાલ આવે તેની કોઈ દવા ખરી - ભાવનગર શહેરમાં ગાય કે ખુટીયામાં હડકવા થયો છે તેને લઈને વેટરનરી ઓફિસર અને ફાયર ઓફિસર રહેલા એમ એમ હિરપરાએ જણાવ્યું હતું કે ગાય કે ખુટીયાને હડકવા સિઝન બદલાતા સમયે થાય છે. હડકાયું સ્વાન ક્યારે ગાય કે ખુટીયાને બચકું ભરી ગયું હોય તેને જાણી નથી શકાતું પણ ગાયમાં હડકવાના લાળ રહી જાય છે. જો તે સ્વાનના બચકાનો ભોગ બની હોઈ તો ત્યારે આવી ગાય કે ખુટીયામાં જમ્સ હોવાથી તેઓ સિઝન ફેર થતા આ ઢોરમાં સક્રિય થાય છે.

ઢોરને હડકવા ઉપડ્યા બાદ કલાકોમાં મૃત્યુ - ઢોર પોતાના શરીર અને મન પરથી સમતુલન ગુમાવી બેસે છે. આથી રસ્તા પર જનારા લોકો ભોગ બની શકે છે. લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈ કે કોઈ ઢોરમાં મોમાંથી સતત લાળ પડતી હોય કોઈને મારવા દોડતું હોઈ તો તેનાથી દૂર રહેવું અને ફાયર વિભાગને જાણ કરી દેવી જોઈએ. જો કે ઢોરને સ્વાન બચકું ભર્યાનો ખ્યાલ હોઈ અને તે ઢોરને ત્યારે હડકવાની રસીની દવા આપવામાં આવે તો તે ઢોર બચી શકે છે. પરંતુ હડકવા શરૂ થયા બાદ તેને રોકી શકાતો નથી. ઢોરને હડકવા ઉપડ્યા બાદ કલાકોમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ Cattle roaming the cities: ભાવનગરમાં રખડતાં ઢોર પાછળ કરોડોનો ખર્ચો કર્યો પણ સમસ્યા ત્યાંની ત્યાંજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.