ETV Bharat / state

ભાવનગરમાં અંધ ઉદ્યોગશાળાની શરમજનક ઘટના, પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રને માર્યો ઢોર માર

author img

By

Published : Dec 27, 2022, 9:22 AM IST

Updated : Dec 27, 2022, 10:03 AM IST

ભાવનગમાં અંધ ઉદ્યોગશાળાની શરમજનક ઘટના, પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રને માર્યો ઢોર માર
ભાવનગમાં અંધ ઉદ્યોગશાળાની શરમજનક ઘટના, પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રને માર્યો ઢોર માર

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળાને (Maharaja Krishnakumarsinhji Andh Udyog Shala) કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ પોતાના જ સાથી મિત્રને એટલો ઢોર માર (Blind student beaten in Bhavnagar) માર્યો હતો કે તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર પર ચોરી કર્યાનો આક્ષેપ નાખી વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. ત્યારે હવે વાલીએ પોલીસ સ્ટેશનની (Bhavnagar Police) શરણ લીધી છે.

શાળામાં કોઈ હાજર ન હોવાનો લાભ ઊઠાવ્યો

ભાવનગર શહેરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળામાં (Maharaja Krishnakumarsinhji Andh Udyog Shala) શરમજનક કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં ભણતા પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રે પર ચોરીનો આક્ષેપ લગાવી તેને માર માર્યો (Blind student beaten in Bhavnagar) હતો. તેના કારણે ભોગ બનનાર વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. રવિવારે શાળા કે હોસ્ટેલમાં કોઈ હાજર નહતું. ત્યારે આ ઘટના બની હતી. ત્યારે હવે (Bhavnagar Crime News) વાલીએ આ મામલે પોલીસ ફરિયાદ (Bhavnagar Police) નોંધાવી છે

એકલતાનો લાભ લઇ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રને માર માર્યો શહેરની અંધ ઉદ્યોગશાળામાં (Maharaja Krishnakumarsinhji Andh Udyog Shala) ભોગ બનનાર વિદ્યાર્થીએ એક વર્ષ પહેલા પ્રવેશ મેળ્યો હતો. ત્યારે આ વખતે તેના જ મિત્રો તેની પર ચોરીનો આક્ષેપ લગાવી તેને એક રૂમમાં લઈ ગયા હતા. ત્યાં તેને ઢોર માર મારતા વિદ્યાર્થીને સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બીજી તરફ ભોગ બનનાર વિદ્યાર્થીને લિવિંગ સર્ટીફિકેટ આપવાનો પણ આક્ષેપ પરિવારમાંથી કરવામાં (Bhavnagar Crime News) આવ્યો હતો.

શાળામાં કોઈ હાજર ન હોવાનો લાભ ઊઠાવ્યો ભોગ બનનારના પિતાએ જણાવ્યું હતું કે, મારા બાળકને હમણાં એક વર્ષ પહેલાં આ ઉદ્યોગશાળામાં (Maharaja Krishnakumarsinhji Andh Udyog Shala) બેસાડ્યો છે. રવિવારે (Bhavnagar Crime News) શાળાના 3થી 4 છોકરાઓએ ચોરી કરી છે તેમ કહી તેને રૂમમાં પૂરી માર માર્યો હતો. રવિવવારે રજાના દિવસે કોઈ શિક્ષક હાજર નહતા એટલે આ ઘટના બની છે. જોકે, આ ઘટના સવારની હતી, પરંતુ અમને સાંજે કહેવામાં આવ્યું હતું.

બનાવમાં શું અને કોણે કર્યું ટ્વીટ આ મામલે અંધ ઉદ્યોગશાળામાં (Maharaja Krishnakumarsinhji Andh Udyog Shala) અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મરાતા તેને પીઠમાં ગંભીર ઈજા પહોંચી હતી. તો ભોગ બનનારની માસીએ ટ્વિટર પર આના ફોટો પણ શેર કર્યા હતા. તેમણે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારને જગાડવા કોશિશ કરી હતી, પરંતુ તંત્રનો કોઈ પ્રત્યુતર મળ્યો નહતો.

પોલીસ જે કરે તે ખરું તો આ મામલે અંધ ઉદ્યોગશાળાના (Maharaja Krishnakumarsinhji Andh Udyog Shala) ટ્રસ્ટી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે, રવિવાર હોવાથી કોઈ શિક્ષકો નહતા. પરંતુ ભોગ બનનારનો દર્દ થતા ખ્યાલ આવ્યો અને વાલીને બોલાવી લેવામાં આવ્યા હતા. LC આપવા આચાર્યએ કોઈ અન્ય વિદ્યાર્થીઓને શાંત પાડવા કહ્યું હોય બાકી કોઈ LC કોઈને આપવામાં આવ્યું નથી. પોલીસ ફરિયાદનો (Bhavnagar Police) મામલો વાલીનો અંત રહેશે તેમાં અમે ક્યાંય ભાગ નહીં ભજવીએ.

Last Updated :Dec 27, 2022, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.