ETV Bharat / state

Two killed in Bharuch: ભરૂચના શુકલતીર્થ ગામના બે યુવાનો નદીમાં ડૂબવાથી મોત

author img

By

Published : Mar 19, 2022, 6:09 PM IST

Two killed in Bharuch: ભરૂચના શુકલતીર્થ ગામના બે યુવાનો નદીમાં ડૂબવાથી મોત
Two killed in Bharuch: ભરૂચના શુકલતીર્થ ગામના બે યુવાનો નદીમાં ડૂબવાથી મોત

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ધુળેટીના પર્વ( Dhuleti 2022 )દરમિયાન 2 યુવાનો નદીમાં ડૂબી જવાથી( Two killed in Bharuch) મોત થયા છે. આ ઘટનાની જાણ પોલીસને (Bharuch Police)થતા ભરૂચ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ભરૂચ: શુકલતીર્થ ગામમાં( Bharuch Shukaltirth village)રહેતા સુનિલભાઈ પંચાલ ઉંમર આશરે 32 વર્ષ અને વિષ્ણુભાઈ પટેલ ઉંમર આશરે 26 વર્ષ કે જેઓ ધુળેટી પર્વ નિમિતે શુકલતીર્થમાં આવેલ નર્મદા નદીમાં નાહવા માટે ગયેલ અને આ( Dhuleti 2022 ) દરમિયાન નદીના( Two killed in Bharuch) વહેણમાં ડૂબી ગયા હતા.

નદીમાં ડૂબવાથી મોત

નદીમાં બે લોકો ડૂબ્યાં - આ ઘટનાની જાણ ગામલોકોને થતાં લોકો નર્મદા કિનારે (Bharuch Police)આવી પહોંચ્યા હતા. ગામ લોકો દ્વારા પોલીસને આ ઘટના અંગે જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી(Bharuch Narmada river) પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ફાયર અને ગોતાખોરની ટીમને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Death of children in Kheda: ખેડાના ઝારોલ ગામમાં ધુળેટીનો પર્વ મામતમાં છવાયો

નદીમાં ગેરકાયદેસર રીતે ખનન - પરંતુ ડૂબી ગયેલ બન્ને યુવાનોની શોધખોળ કરતા કરતા અંધારું થઈ ગયેલ જેના કારણે ગોતાખોરની ટીમ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ બન્ને યુવાનોની શોધખોળ બીજા દિવસે કરવમાં આવી હતી. ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે રેતી માફીયાઓ દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવેલ છે. જેના લીધે નદીના પટમાં અને નદીની અંદર ઊંડા ખાડા પડી ગયેલ છે. જેના લીધે આવા અકસ્માતોનો ભોગ ગામના નિર્દોષ લોકો બને છે અને મોતને ભેટે છે.

આ પણ વાંચોઃ Mother attempted suicide : માતાએ પુત્ર સાથે પાટણના ખાન સરોવરમાં છલાંગ લગાવી, માસૂમ પુત્રનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.