ETV Bharat / state

અંકલેશ્વર નગર સેવા સદનની મળી સામાન્ય સભા

author img

By

Published : Mar 30, 2021, 7:01 PM IST

રૂપિયા 98 કરોડનું બજેટ કરાયું મંજૂર
રૂપિયા 98 કરોડનું બજેટ કરાયું મંજૂર

અંકલેશ્વર નગર સેવા સદનની 30 માર્ચે મળેલી સામાન્ય સભામાં રૂપિયા 98 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમાં ઘન કચરાના નિકાલ માટે વિશેષ રકમ ફાળવવામાં આવી છે તેમજ કોંગ્રેસનાં સભ્યોએ કહ્યું કે, બજેટ દિવસે સપના બતાવનારું છે.

  • અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી
  • રૂપિયા 98 કરોડનું બજેટ કરાયું મંજૂર
  • ઘન કચરાના નિકાલ માટે વિશેષ રકમ ફાળવાય

ભરૂચ: જિલ્લામાં ચૂંટણી બાદ 30 માર્ચે અંકલેશ્વર નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેનો રાષ્ટ્રગીત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં વર્ષ 2021-22નું રૂપિયા 98 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસના વિવિધ કામોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના ઘન કચરાના નિકાલ માટે રૂપિયા 1.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય 65 કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં મંજૂર થયેલા બજેટ સર્વાંગી વિકાસવાળું હોવાનો સત્તાપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા મળી

આ પણ વાંચો : મહેસાણા તાલુકા પંચાયતનું રૂપિયા 21.62 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર

બજેટ દિવસે સપના બતાવનારું: વિપક્ષ

આ તરફ વિપક્ષ કોંગ્રેસનાં સભ્યોએ બજેટને દિવસે સપના બતાવનારું ગણાવ્યું હતું અને નગરપાલિકાને આવક થશે ક્યાંથી એ સહિતના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.