ETV Bharat / state

ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ સહિત અગ્રણી નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Dec 12, 2021, 1:13 PM IST

Updated : Dec 12, 2021, 3:45 PM IST

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું સારવાર દરમિયાન થયું નિધન
ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું સારવાર દરમિયાન થયું નિધન

અમદાવાદની ખાનગી હોસ્પિટલનમાં આશા બહેન ડેન્ગ્યુની સારવાર લઇ રહ્યાં હતા અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આશાબહેનના નિધનના સમાચારથી શોકનો માહોલ વ્યાપી ગયો છે. વડાપ્રધાન, મુખ્યપ્રધાન,રાજ્યપાલ તેમજ અન્ય તમામ રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

ન્યૂઝડેસ્ક: અમદાવાદની ખાનગી હોસ્પિટલનમાં ડેન્ગ્યુની સારવાર લઇ રહ્યાં હતા અને અંતે સારવાર દરમિયાન આજે બપોરે નિધન થયું. નિધનના સમાચારથી સમગ્રમાં હાલ શોકનો માહોલ વ્યાપી ગયો છે.

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આશા બહેનના મૃત્યુ પર દુખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આશા બહેનનું યોગદાન હંમેશા યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના..

  • ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥ pic.twitter.com/tC95BcXQMR

    — Narendra Modi (@narendramodi) December 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પણ આશાબહેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. શાહે આ નિધનને ગુજરાત ભાજપ માટે મોટી ખોટ ગણાવી હતી.

  • ઊંઝાના ભાજપા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના આકસ્મિક નિધનથી ખૂબ જ વ્યથિત છું. વિસ્તારના વિકાસ અને જનસેવા પ્રત્યે આશાબેનનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.

    — Amit Shah (@AmitShah) December 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ભાજપનાં પ્રદેશ અગ્રણી ભરત પંડયા અને અન્ય રાજકીય નેતાઓએ ડો.આશા બહેન પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
    શ્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને આપેલી સેવાઓની સરાહના કરી છે. pic.twitter.com/lyjNWkB5nr

    — Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, આશા બેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા તેઓ હંમેશા યાદ રહેશે.

Last Updated :Dec 12, 2021, 3:45 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.