ETV Bharat / state

પાલનપુરમાં તસ્કરો મંદિરની દાનપેટી ઉઠાવી ફરાર

author img

By

Published : Feb 2, 2021, 12:59 PM IST

મંદિરમાં ચોરી
મંદિરમાં ચોરી

પાલનપુર શહેરમાં તસ્કરોએ સંકટમોચક હનુમાનજીના મંદિરને નિશાન બનાવી મંદિરની દાનપેટીની ચોરી કરી હતી. આ મુદ્દે મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

  • શહેરના ગણેશપુરા વિસ્તારમાં બની ચોરીની ઘટના
  • હનુમાનજીના મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન
  • મંદિરની દાનપેટી ઉઠાવી તસ્કરો ફરાર
  • અંદાજીત 3000 રૂપિયાની ચોરી

પાલનપુર : શહેરમાં શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ ચોરીના બનાવો દિન પ્રદીન વધી રહ્યા છે. ત્યારે તસ્કરોએ સંકટમોચક હનુમાનજીના મંદિરને નિશાન બનાવતા શહેરના ગણેશપુરા વિસ્તારમાંથી દાનપેટીની ચોરી કરી હતી. આ મુદ્દે મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

મંદિરમાં ચોરી
મંદિરમાં ચોરી

રૂપિયા 2500થી 3 હજારની ચોરી

શહેરના ગણેશપુરા વિસ્તારમાં હનુમાનનું મંદિર આવેલું છે. જ્યાં રવિવારની રાત્રે કેટલાક શખ્સોએ મંદિરમાં પ્રવેશી મંદિરની દાનપેટી ઉઠાવી ગયા હતા. વહેલી સવારે મંદિરના પૂજારી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે તેમને મંદિરની દાનપેટી ગાયબ જોવા મળી હતી. જે બાદ મંદિરના પુજારીએ પાલનપુર પૂર્વ પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્યા આરોપીઓ સામે દાનપેટીમાં પડેલા રૂપિયા 2500 થી 3 હજારની ચોરીનો ગુનો નોંધી તમામ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.