ETV Bharat / state

Banaskantha Rain: બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીમાં ધોવાઈ ગયો, વાહન ચાલકો મુશ્કેલીમાં

author img

By

Published : Jul 29, 2023, 1:26 PM IST

બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

ચાલુ વર્ષે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણી ભરાયું હતું. બે દિવસ પહેલા પણ રાજસ્થાનમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો તેથી દાંતીવાડા ડેમમાં 30,000 ક્યુસેક કરતા પણ વધુ પાણીની આવક નોંધાઈ હતી. જેથી તંત્ર દ્વારા 30,000 ક્યુસેક જેટલું પાણી બહાર છોડવામાં આવ્યું છે. જેથી બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી બનાસકાંઠા અને પાટણને જોડતો મુખ્ય માર્ગ પુષ્કળ પાણીના કારણે ધોવાઈ ગયો છે. જેથી રોજના હજારો અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ થરાદ, લાખણી, વાવ, સુઈગામ જેવા અનેક વિસ્તારના લોકો હોસ્પિટલ જવા માટે શિહોરી થી પાટણને જોડતા રસ્તા પરથી પસાર થાય છે. પરંતુ જે પ્રમાણે દસ મત તા પાણીના પ્રવાહને કારણે રસ્તો તૂટ્યો છે તેથી દર્દીઓ અને વાહન ચાલકો સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.મહત્વની વાત છે કે જે પ્રમાણે બનાસ નદીમાં દસમસ તો પ્રવાહ ચાલુ છે. જેના કારણે બનાસકાંઠાથી પાટણને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ધોવાયો છે જેથી સરહદી વિસ્તારના લોકો અને કાંકરેજ થરા ભીલડી વાવ સુઈગામ સહિતના વિસ્તારના લોકો પાટણ જવા માટે ડીસા થી જઈ રહ્યા છે. કેટલાક લોકો થરા થી પાટણ જઈ રહ્યા છે. જેથી તમને બે કલાકનો વધુ સમય થઈ રહ્યો છે અને જવામાં ખર્ચ પણ વધારે થઈ રહ્યો છે.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતો રોડ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

"ગત રાત્રીએ જે બનાસ નદીમાં વધારે પડતું પાણી આવ્યું જેના કારણે બનાસ નદીમાંથી પસાર થતો રસ્તો હતો તે તૂટી ગયો છે અને હાલ પાણી પુષ્કળ પ્રમાણમાં આ નદીમાંથી વહી રહ્યું છે તેથી હાલ કોઈ કામગીરી થઈ શકે તેમ નથી તેથી જ્યારે પાણી બંધ થશે ત્યારબાદ અમારા દ્વારા લોકોને મુશ્કેલી ના પડે તે વાતને ધ્યાનમાં રાખીને સત્વરે રોડની કામગીરી ચાલુ કરીશું"--પ્રફુલ ખત્રી (RNBના અધિકારી આસિસ્ટન્ટ)

મુશ્કેલીનો સામનો: બનાસ નદીમાં જે પ્રમાણે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે જેથી બનાસ નદી બે કાંઠે વહી રહી છે જેથી શિહોરી થી પાટણને જોડતો જે રોડ હતો તે ધોવાયો છે. જેથી અનેક લોકો શિહોરી થી અંદાજિત 15 કિલોમીટર આવેલું થરા અને થરા થઈને પાટણ જવા માટે મજબુર બન્યા છે. પરંતુ જે બનાસ નદીનું પાણી છે તે આગળ વધી રહ્યું છે. તેથી આવનાર સમયમાં થરા થી અને પાટણ જે લોકો જાય છે. તે પણ બંધ થવાની શક્યતાઓ છે. કારણ કે થરાથી પાટણને જોડતો જે રસ્તો છે. તે પણ બંધ થઈ જશે તેથી લોકોને થરા થી પાટણ જવાના રસ્તા પર પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

લોકોએ કરી માંગ: આ બાબતે etv ભારત દ્વારા બનાસકાંઠા એટલે કે શિહોરી થી પાટણને જોડતા રસ્તા પર જઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. ત્યારે etv ભારત સાથેની વાતચીતમાં સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આ રોડ પાટણ જવા માટેનો મુખ્ય માર્ગ છે અમે અહીંથી રોજથી પસાર થઈએ છીએ. પરંતુ જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધ્યો છે જેના કારણે નદીમાંથી પસાર થતો આ રોડ તુટી ગયો છે. જેથી અમે મુશ્કેલીમાં મુકાયા છીએ અમારે પાટણ જવું હોય ઇમર્જન્સી હોય હોસ્પિટલ જવું હોય તો જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી તેથી તંત્ર દ્વારા કઈ યોગ્ય નિરાકરણ લાવી એનું કામ કરવામાં આવે તેથી રોજની અવરજવર બંધ ન થાય અને મુશ્કેલી નો સામનો કરવો ન પડે.

  1. Banaskantha News : બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ડેમનું પાણી છોડવામાં આવ્યું, જિલ્લામાં ખુશીની લહેર
  2. Banaskantha News : રણને કાંધીએ આવેલા પંથકનો સાહસિક ખેડૂત! દર વર્ષે ખારેક વાવીને 25 લાખની મેળવે છે આવક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.