બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની ત્રીજી લહેર પહેલા જિલ્લામાં વાયરલ ફીવરના કેસમાં વધારો

author img

By

Published : Aug 19, 2021, 9:45 AM IST

banas

કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેર પહેલા બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફીવરે આતંક મચાવ્યો છે.બદલાયેલા હવામાનને પગલે અત્યારે બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફ્લૂના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં રોજના 3000થી પણ વધુ નાના બાળકો સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેર પહેલા બાળકોમાં જોખમ
  • ચોમાસાની ઋતુ બદલાતાં બીમારીમાં વધારો
  • નાના બાળકોમાં શરદી તાવ ખાસી ની બીમારીમાં વધારો

બનાસકાંઠા: ડીસા શહેરમાં કોરોનાવાયરસની મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા જે બાદ હવે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા શહેરમાં એક બાદ એક ઋતુ બદલાતાં બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કોરોનાવાયરસની ત્રીજી લહેર પહેલા હાલમાં બીમારીનું પ્રમાણ વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. સતત વાયરલનું પ્રમાણ વધતાં હાલમાં સરકારી હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ બીમાર દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

બાળકોમાં વધેલા વાઇરલ ફ્લૂના કેસમાં વધારો

દેશ આગામી સમયમાં આવનારી સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યો છે તેવામાં અચાનક બનાસકાંઠા જીલ્લામાં બાળકોમાં વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થતાં સરકારમાં ચિંતા વધી ગઈ છે.વર્તમાન સમયમાં નાના બાળકોમાં તાવના કેસો વધી ગયા છે.અને મોટાભાગે દશ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં આ બિમારીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ડીસા શહેરમાં પણ સરકારી હોસ્પિટલમાં હાલમાં રોજના 200થી પણ વધુ નાના બાળકો બીમાર સામે આવી રહ્યા છે સતત વધતાં જતાં બાળકોના બીમારીના કારણે હાલમાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની ત્રીજી લહેર પહેલા જિલ્લામાં વાયરલ ફીવરના કેસમાં વધારો

આ પણ વાંચો : 'મને યોગ્ય સપોર્ટ મળ્યો હોત તો હું વર્લ્ડ ન. 01 હોત' : બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા

સમાન લક્ષણ

આ અંગે તબીબો પણ જણાવી રહ્યા છે કે અત્યારે વાઇરલ ફ્લૂ ધરાવતા નાની ઉંમરના બાળકો સારવાર માટે વધારે આવી રહ્યા છે.. અને વર્તમાન સમયમાં જે રીતે વાઇરલ ફ્લૂના કેશોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વાઇરલ ફ્લૂ અને કોરોના વાઇરસના લક્ષણો સમાનતા ધરાવતા હોવાથી લોકોએ આ બાબતે ગંભીરતા રાખવી જરૂરી છે અને બાળકોમાં તાવ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર માટે લઈ જવું જેથી કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરથી બચી શકાય.

સમયસર સારવાર લેવી જોઈએ

કોરોના વાઇરસની સંભવિત ત્રીજી લહેરનો ખતરો આગામી સમયમાં મોટા પડકાર બનશે .વર્તમાન સમયમાં કોરોના જેવા જ લક્ષણો ધરાવતા વાઇરલ ફ્લૂને લઈ ગંભીર બનવાની જરૂર છે, કારણ કે વાઇરલ ફ્લૂ અને કોરોના વાઇરસના લક્ષણ મોટાભાગે સમાન હોય છે.. જેથી સારવારમાં ચૂક આગામી સમયમા મોટી સંભવિત મહામારીને જન્મ આપી શકે તેમ છે.

આ પણ વાંચો : તાપી જિલ્લાના ઉચ્છલમાં આવેલું છે 5 હજાર વર્ષ જૂનું ધારેશ્વર મહાદેવ મંદિર

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ

જે પ્રમાણે ચોમાસામાં ઋતુ બદલાતાં બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેને જોતા આરોગ્ય વિભાગ પણ કામે લાગી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં સૌથી વધુ મચ્છરજન્ય રોગને અટકાવવા માટે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહી છે, તે ઉપરાંત જે પણ વિસ્તારમાં બાળકોમાં બીમારીનું પ્રમાણ વધુ જણાય તે તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ તે વિસ્તારમાં પહોંચી તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન

આ અંગે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલમાં બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે ઋતુઓમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે, તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં રોજના ત્રણ હજારથી પણ વધુ નાના બાળકો સારવાર લેવા માટે આવી રહ્યા છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ સતત બીમારીનું પ્રમાણ વધતા હાલમાં તેને અટકાવવા માટેનું તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.