ETV Bharat / state

Corona cases in Gujarat :ડીસાના સબજેલમાં 15 કેદીઓ કોરોના પોઝિટિવ

author img

By

Published : Jan 13, 2022, 8:48 PM IST

Corona cases in Gujarat :ડીસાના સબજેલમાં 15 કેદીઓ કોરોના પોઝિટિવ
Corona cases in Gujarat :ડીસાના સબજેલમાં 15 કેદીઓ કોરોના પોઝિટિવ

બનાસકાંઠામાં આજરોજ ડીસા (Corona case in Banaskantha)ખાતે આવેલ સબજેલમાં કેદીને શરદી અને તાવની અસર જોવા મળતાં આરોગ્ય વિભાગ દ્વારા 23 કેદીના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 15 કેદીને એક સાથે કોરોના પોઝિટીવ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જેલમાં કેદીઓને કોરોના પોઝિટીવ(Corona positive to inmates in Deesa subjail ) સામે આવતા આરોગ્ય વિભાગમાં ભાગદોડ મચી હતી.

બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસે દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં (Corona positive to inmates in Deesa subjail )સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો કોરોના સામે સુરક્ષિત રહે તે માટે તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસર ડીસા તાલુકામાં જોવા મળી હતી (Corona cases in Gujarat )અને જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ડીસા તાલુકામાં જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેરમાં પણ ફરી એકવાર જિલ્લામાં અત્યાર સુધી 100 થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં કોરોના કેસ

ડીસા સબજેલમાં 15 કેદીઓને કોરોના પોજેટિવ

જિલ્લામાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસામાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક સાથે 15 કોરોના પોઝિટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડીસા ખાતે આવેલ સબજેલમાં એક દર્દીને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેદીને કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સબજેલ ખાતે આવેલ 23 કેદીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 15 કેદીઓને કોરોના પોઝિટીવ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભાગદોડ મચી હતી.

આ પણ વાંચોઃ Makar Sankranti 2022 :ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસનું પતંગ બજારમાં ચેકીંગ

કોરોના ગાઇડલાઇન પાળવા અપીલ

જે પ્રમાણે જિલ્લામાં કોરોના કેસ વધી રહ્યા છે તેના કારણે આરોગ્ય વિભાગ પણ સતત ચિંતામાં મુકાયું છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરની જેમ ફરી એકવાર ત્રીજી રહેની શરૂઆત થઇ ચૂકી છે અને રોજેરોજ મોટી સંખ્યામાં જિલ્લામાં એક બાદ એક કોરોના કેસ સામે આવી રહ્યા છે ખાસ કરીને લોકોને ગંભીર બેદરકારીના કારણે અત્યારે સતત કોરોના કેસમાં વધારો થયો છે. તહેવારોના સમયે લોકોએ કરેલી ભીડ અને સરકારી ગાઇડલાઇનનો ભંગ થતા હાલમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોના મહામારી સુરક્ષિત રહેવા સરકારે જે ગાઇડલાઇન જાહેર કરી છે તેનો અમલ કરવામાં આવે તો આવનારા સમયમાં કોરોના કેસમાં ઘટાડો કરી શકાય તેમ છે. જો સરકારી ગાઇડલાઇનનો પાલન કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં હજુ પણ કોરોના કેસમાં વધારો થઈ શકે તેમ છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ઉતરાયણ આવી ગઇ પણ ગ્રાહકો ન આવ્યા, વેપારીઓને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.