ETV Bharat / state

પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ

author img

By

Published : Apr 22, 2021, 9:51 PM IST

પાલનપુર
પાલનપુર

સમગ્ર ગુજરાતમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે અને ઓક્સિજનના અભાવે અનેક દર્દીઓ હોસ્પિટલમાં દમ તોડી રહ્યા છે જેને પહોંચી વળવા માટે હવે પાલનપુર સિવિલ હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો છે. જેથી પાલનપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ હવે સિવિલમાં દાખલ દર્દીઓ માટે જીવનરક્ષક ઓક્સિજન માટે રાહ નહીં જોવી પડે.

  • પાલનપુરમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા સિવિલમાં નંખાયો પ્લાન્ટ
  • આ પ્લાન્ટમાં કલાકમાં 28 કિલો શુદ્ધ ઓક્સિજન બનશે
  • દરરોજ 35 દર્દીઓને ઓક્સિઝન આપી શકાશે
    બનાસ કોવિડ હોસ્પિટલ

બનાસકાંઠા: સમગ્ર દેશ અત્યારે કોરોના વાઇરસના ભરડામાં છે અને કોરોના વાઇરસની બીજી લહેરમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેની ભારે માંગ ઉઠી છે. એકસાથે સમગ્ર ગુજરાતમાં ઓક્સિજનની માંગ ઉઠતા ભારે અછત સર્જાઇ છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ઓક્સિજનની અછત સર્જાતા જિલ્લામાં 10 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જો કે મોડી સાંજે 15 મેટ્રીક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો જામનગરથી લાવીને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં ફાળવી દેવાયો હતો. જો કે એ જામનગરથી મંગાવેલા ઓક્સિજનનો જથ્થો સાંજ સુધી ચાલી શકે એટલો જ હતો.

કરોડો રૂપિયાના ખર્ચે 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે

પાલનપુરની 160 બેડની બનાસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય અને કોઈ દર્દીનું ઓક્સિજનના અભાવે મોત ન થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટ કલાકના 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને ત્યારબાદ આ પ્લાન્ટમાંથી પાઇપલાઇન દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યો છે આ પ્લાન્ટ નાખવાથી હવે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થશે અને કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નહિ સર્જાય.

બનાસ
બનાસ

બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછતથી અનેક દર્દીઓના મોત

બનાસકાંઠા જીલ્લામાં કોરોનાને લઈ પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઈ છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતાં ઓક્સિજનની સર્જાયેલી ઘટને પગલે હવે દર્દીઓના એક પછી એક મોત થતાં હોવાની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતીને પગલે હવે પરિસ્થિતી કાબૂ બહાર નીકળતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓક્સિજનની ઘટથી થતાં મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારા વચ્ચે ડીસા અને પાલનપુરમાં અત્યાર સુધી અનેક લોકોના મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ગઈકાલે પણ અચાનક હોસ્પિટલમાં ઑક્સીજનનું લેવલ ઘટી જતાં અનેક દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે.

બનાસ
બનાસ

જિલ્લાની તમામ હોસ્પીટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ

બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની ઘટ થતાની સાથે અનેક લોકો મોતને ભેટી રહ્યા હતા. સતત વધી રહેલા કોરોના વાઇરસના દર્દીઓના કારણે હોસ્પિટલની બહાર પર અનેક દર્દીઓ સારવાર વગર બેઠેલા નજરે પડી રહ્યા હતા, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે હાલમાં વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે બનાસકાંઠા જીલ્લાની તમામ હોસ્પિટલો હાલમાં કોરોના દર્દીઓથી ઉભરાઇ રહેલી જોવા મળી રહી છે ત્યારે સરકારે હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી કરવામાં આવે તો જ આવનારા સમયમાં પૂરું આ દર્દીઓને સારવાર મળી શકે તેમ છે.

બનાસ
બનાસ

આ પણ વાંચો: બનાસકાંઠાના દવાખાનાઓમાં ઓક્સિજન ખૂટી જતા 10 દર્દીઓના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.