ETV Bharat / state

બનાસકાંઠાઃ સેજલપુર ગામે બની ગોઝારી ઘટના, દીવાલ ધરાશાયી થતા 3ના મોત, 11 ઈજાગ્રસ્ત

author img

By

Published : Sep 8, 2020, 2:25 AM IST

ETV BHARAT
સેજલપુર ગામે બની ગોઝારી ઘટના, દીવાલ ધરાશાયી થતા 3ના મોત, 11 ઈજાગ્રસ્ત

પાલનપુર તાલુકાના સેજલપુર ગામે સોમવારે જર્જરિત દીવાલ ધરાશાયી થતાં 2 બાળકો સહિત મહિલાનું મોત થયું છે. બાંધકામ દરમિયાન અચાનક જ જર્જરિત દીવાલ ધરાશાયી થતા 11 લોકો દટાયા હતા. જે પૈકી ગર્ભવતી મહિલા સહિત 3 લોકોના મોત થયાં છે.

બનાસકાંઠા: બાંધકામ દરમિયાન સેફટી માટે જે તકેદારી રાખવી જોઈએ તે રાખવામાં આવતી નથી. જેના કારણે બાંધકામ થવા સમયે અકસ્માત સર્જાય છે. આવી જ એક ઘટના પાલનપુર તાલુકાના સેજલપુર ગામે બની છે. સેજલપુર ગામમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયાં.

મળતી માહિતી મુજબ, સેજલપુર ગામમાં શૌચાલયના કુવાનું ખોદકામ ચાલુ હતું. આ દરમિયાન તેની પાસે આવેલી જર્જરિત દીવાલ ધરાશાયી થતા 11 લોકો દટાયા હતા. એક સાથે 11 લોકો દટાતા ગામના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સેજલપુર ગામે બની ગોઝારી ઘટના, દીવાલ ધરાશાયી થતા 3ના મોત, 11 ઈજાગ્રસ્ત

દીવાલ નીચે દટાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરી તપાસમાં 2 નાના બાળકો તેમજ એક મહિલા મોતને ભેટી હોવાની બાબત સામે આવી છે.

સોમવારે બનેલી દુર્ઘટનામાં ત્રણ ગરીબ મજૂર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બાંધકામ દરમિયાન જે સેફ્ટી રાખવી જોઈએ તે ન રાખવામાં આવી અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે તપાસમાં ગુનેગાર લોકો સામે શું પગલાં લેવામાં આવે છ.

મૃતકોના નામ

  • રાહુલ પરેશભાઈ વસૈયા
  • નૈના રાજુભાઈ વસૈયા
  • સીતાબેન રાજુભાઇ વસૈયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.