ETV Bharat / state

વરસાદ ખેંચાતા રાજ્યમાં જગતનો તાત પરેશાન

author img

By

Published : Jul 18, 2019, 1:29 PM IST

સ્પોટ ફોટો

અરવલ્લી: સમગ્ર રાજ્યમાં વરસાદે પાછીપાની કરી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ શરૂઆતમાં વરસાદ બાદ છેલ્લા પંદર દિવસ સુધી વરસાદ ન થયો હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ વરસાદે વિરામ લીધો છે અને બીજી બાજુ જળાશયમાંથી સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદે જે પ્રમાણે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ જાણે મેઘરાજા અલોપ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો વાત્રક, માઝૂમ અને મેશ્વોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોય તેવું લાગી રહ્યું છે. જળાશયોમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો તો છે પણ સિંચાઇ માટેનું પાણી બિલકુલ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

વરસાદ ખેંચાતા ધરતીનો તાત મુશ્કેલીમાં

એક તરફ જળાશયોના તળિયા ઝાટક થયા છે તો બીજી બાજુ ખેડૂતોનો પાક નાશ થવાની આરે છે .જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવો જરૂરી છે. જેના કારણે સિંચાઈનું પાણી આપી શકાતું નથી. સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોએ વાવેલ મગફળી કપાસ તેમજ મકાઈ જેવા પાકો નાશ થવાની આરે આવી ગયા છે.

શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોને વધુ વરસાદની આશા હતી. તેથી મોંઘા બિયારણ લાવી વાવ્યા હતા. પરંતુ ખેડુતોની આશા કદાચ ચાર પાંચ દિવસમાં વરસાદ ના પડે તો ઠગારી નીવડે તેમ છે.

Intro:વરસાદ વિના જગતનો તાત મુશ્કેલીમાં

મોડાસા- અરવલ્લી

સમગ્ર રાજ્યમાં વરસાદએ પાછીપાની કરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ શરૂઆતમાં વરસાદ બાદ છેલ્લા પંદર દિવસ સુધી વરસાદ ન થયો હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક બાજુ વરસાદ એ વિરામ લીધો છે અને બીજી બાજુ જળાશયમાંથી સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે.




Body:ઉત્તર ગુજરાતમાં વરસાદ છે જે પ્રમાણે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારબાદ જાણે મેઘરાજાએ અલોપ થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો વાત્રક ,માઝૂમ અને મેશ્વો ની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોય તેવું લાગી રહ્યું છે. જળાશયોમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો તો છે પણ સિંચાઇ માટેનું પાણી બિલકુલ ન હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે


એક તરફ જળાશયોના તળિયા ઝાટક થયા છે તો બીજી
બાજુ ખેડૂતોનો પાક નાશ થવાની આરે છે .જળાશયો માં પીવાના પાણીનો જથ્થો અનામત રાખવો જરૂરી છે જેના કારણે સિંચાઈનું પાણી આપી શકાતું નથી. સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોએ વાવેલ મગફળી કપાસ તેમજ મકાઈ જેવા પાકો નાશ થવાની આરે આવી ગયા છે .

શરૂઆતના વરસાદ બાદ ખેડૂતોને વધુ વરસાદની આશા હતી તેથી મોંઘા બિયારણ લાવી વાવ્યા હતા પરંતુ ખેડુતોની આશા કદાચ ચાર પાંચ દિવસમાં વરસાદ ના પડે તો ઠગારી નીવડે તેમ છે .

બાઈટ મહેન્દ્રભાઈ પટેલ વર્ક આસિસ્ટન્ટ સિંચાઈ વિભાગ

બાઈટ ખેડૂત

પી.ટુ સી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.