ETV Bharat / state

અરવલ્લીના મેઘરજ ખાતે 2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું

author img

By

Published : Jun 15, 2021, 10:11 PM IST

અરવલ્લીના મેઘરજ ખાતે 2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું
અરવલ્લીના મેઘરજ ખાતે 2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા ખાતે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ પ્રભારી પ્રધાન રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ ભવનમાં તમામ પ્રકારની સગવડો મળી રહે તે માટે 2.40 કરોડના ખર્ચે તાલુકા ભવન તૈયાર કરવામાં આવ્યુ છે. આ ભવનથી મેઘરજ તાલુકાની 1,67,115 વસ્તીને સુવિધાઓનો લાભ મળશે.

  • ભવનના નિર્માણથી તાલુકાની જનતાને એકજ જગ્યાએથી તમામ સુવિધાઓ મળશે
  • અરવલ્લીમાં 2.40 કરોડના ખર્ચે તાલુકા ભવન તૈયાર કરવામાં આવ્યું
  • મેઘરજ તાલુકાની 1,67,115 વસ્તીને સુવિધાઓનો લાભ મળશે

અરવલ્લી: જિલ્લાના મેઘરજ નગરમાં નવનિર્મિત પંચાયત ભવનનું જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ પ્રભારી પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. મેઘરજ તાલુકાની જનતાને આ એક ભવનથી ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવા સેતુ અંતર્ગત વિવિધ 22 સેવાઓનો ગ્રામ્ય કક્ષાએ સરળતાથી સુવિધા મળી રહશે. જેમાં આવકના દાખલા, આવક અંગેનું સોગંદનામું, વિધવા સહાયની તમામ સુવિધાઓ આ સહિત તમામ પ્રકારની સગવડો મળી રહે તે માટે 2.40 કરોડના ખર્ચે તાલુકા ભવન તૈયાર કરવામાં આવ્યુ છે. આ ભવનથી મેઘરજ તાલુકાની 1,67,115 વસ્તીને સુવિધાઓનો લાભ મળશે.

આ પણ વાંચો: CM Rupani ના હસ્તે રાજકોટમાં રૂ. 232.50 કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત

તાલુકામાં 20,304 કુટુંબોને 1608.99 લાખની રોજગારી પૂરી પાડવામાં આવી

આ પ્રસંગે જિલ્લા પ્રભારી તથા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન બેરોજગારોને રોજગારી પૂરી પાડવા મનરેગા યોજના હેઠળ 2020-21માં મેઘરજ તાલુકામાં કુલ 20,304 કુટુંબોને 9.20 લાખ માનવદિન મુજબ 1608.99 લાખની રોજગારી પૂરી પાડવામાં આવી છે. મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષ 2021-22માં મનરેગા યોજના હેઠળ કુલ 15,417 કુટુંબોને 5.57 લાખ માનવદિન મુજબ 993.19 લાખની રોજગારી પૂરી પડવામાં આવી છે. સરકાર દ્વારા 14માં નાણાપંચ અંતર્ગત મેઘરજ તાલુકાની 47 ગ્રામ પંચયાતોમા 14મું નાણાપંચ અંતર્ગત ફાળવવામાં આવેલી કુલ 3706,87 લાખ ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના 3397 કામ પૂર્ણ કરાવામાં આવ્યા છે.

કોરોના યોદ્ધા કમિટીની રચના કરી અદ્ભુત કામગીરી કરાઈ

પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, તમામ ગામોમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે મેડીકલ, ગ્રામ પંચાયત, તલાટી તથા સરપંચની ટીમ દ્વારા સઘન સર્વેલન્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં, પદાધીકારીઓનો પણ સહકાર મળ્યો હતો. આરોગ્ય સિવાયની તમામ વ્યવસ્થાઓ જેવી કે રહેવા, જમવા વગેરે સુવિધાઓ ગ્રામ પંચાયત, દૂધ મંડળી, સેવાભાવી સંસ્થાઓ અને લોક ભાગીદારીથી કરવામાં આવ્યા હતા. તમામ ગામોમાં કોરોના યોદ્ધા કમિટીની રચના કરી અદ્ભુત કામગીરી કરી છે.

આ પણ વાંચો: ડાંગમાં નવનિર્મિત Sakhi One Stop Centre ના ભવનનું લોકાર્પણ કરાયું

આંગણવાડી નંદઘર લોકાર્પણ કર્યું

પ્રભારી મંત્રીએ લોકાર્પણ બાદ આંગણવાડી નંદઘરની મુલાકાત લઇ તેનું પણ લોકાર્પણ કર્યું હતું, જેમાં આંગડવાડીની દીવાલો પર બાળકોનો અવલોકન શક્તિ અને મનોશારીરિક શક્તિનો વિકાસ થાય તેવા ચિત્રો, નીચે 2 ફૂટના પટ્ટામાં બાળક ચોકથી કઈ પણ દોરી શકે તેવી વ્યવસ્થા, બાળકમાં લાઈફ સ્કીલનો વિકાસ થાય તેવા ચિત્રો તથા જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ અને ક્રિયાઓ તેમજ પરિસરનો સચિત્ર પરિચય આપ્યો હતો.

અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ કનુ મનાત, જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનીલ ધામેલીયા, પ્રાંત અધિકારી મયંક પટેલ, ભાજપ અગ્રણી રાજેન્દ્ર પટેલ, જિલ્લા અને તાલુકાના સદસ્યઓ, મેઘરજ ગામના સરપંચ તથા અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.