અરવલ્લીમાં મૂશળધાર વરસાદ થતા જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા

author img

By

Published : Sep 12, 2021, 3:03 PM IST

Updated : Sep 13, 2021, 11:40 AM IST

અરવલ્લીમાં મૂશળધાર વરસાદ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. જિલ્લાની નદીઓ અને જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે. જિલ્લામાં ભારે ધોધમાર વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.

  • ગામડાઓમાં કોઝવે પર પાણી ફરી વળ્યા
  • છેલ્લા 48 કલાકમાં અરવલ્લીમાં વરસાદ
  • ગોખરવા વચ્ચે મેશ્વો નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે

અરવલ્લી: છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદ ના પગલે જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે, જ્યારે ઉપરવાસમાં પડેલા વરસાદથી જળાશયોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઇ રહી છે. મોડાસના ઇસરોલ-રાજલી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા, થોડા સમય માટે આઠ ગામની અવર-જવર બંધ થઇ હતી. તો વળી કસાણા ગામે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કસાણાથી વડથલી જવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે મોડાસાના માધુપુર રાજલી કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે.

અરવલ્લીમાં મૂશળધાર વરસાદ થતા જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા

મેશ્વો નદી બે કાંઠે વહેતી થઇ

બીજી બાજુ શામળાજી નજીક મેશ્વો નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. ગોખરવા વચ્ચે મેશ્વો નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. આ સાથે જ ભિલોડાની નાદરી નદીમાં નવા નીર આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં જિલ્લાના ધનસુરામાં 6 ઇંચ, મેઘરજમાં 4 ઇંચ, માલપુરમાં 3 ઇંચ, બાયડમાં 1.5 ઇંચ, ભિલોડામાં 4 ઇંચ અને મોડાસામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

Last Updated :Sep 13, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.