ETV Bharat / state

બાયડ પાલિકાએ બપોરના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કર્યો નિર્ણય

author img

By

Published : Jul 15, 2020, 11:45 AM IST

bayad
બાયડ નગરપાલિકા

અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓનો આંક વધી રહ્યો છે, ત્યારે દુકાનદારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના માલપુર તાલુકામાં દુકાનદારોએ સોમવારથી બપોરના 2 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાના નિર્ણયના પગલે હવે બાયડ નગરમાં પણ દુકાનદારોએ સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.

અરવલ્લી: જિલ્લામાં કોરોનાની દહેશત છવાઇ રહી છે, ત્યારે કોરોના વાઇરસના દર્દીઓનો આંક વધતા લોકોમાં અને દુકાનદારોમાં ભય ફેલાયો છે. જેના પગલે બાયડ નગરના દુકાનદારોએ દુકાનો અમુક સમય સુધી જ ખુલ્લી રાખવાનો સ્વયંભૂ નિર્ણય કર્યો છે.

બાયડ નગરપાલિકાએ દુકાનો બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો

બાયડ નગરના વેપારીઓએ નગરપાલિકા તંત્ર સાથે બેઠક કરી હતી. તેમજ દુકાનો સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા સ્વયંભૂ તૈયારી દર્શાવી હતી.

હવે બાયડ નગરપાલિકાએ પણ આ અંગે નિર્ણય લઇ દૂધ, શાકભાજી અને મેડિકલ સિવાયની દુકાનો બપોરના 2 વાગ્યા પછી બંધ રાખવાનું જાહેર કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.