ETV Bharat / state

અરવલ્લીમાં બનશે સિવિલ અને આયુર્વેદ હોસ્પિટલ, હવે સારવાર માટે નહીં જવું પડે બહાર

author img

By

Published : Oct 21, 2022, 1:58 PM IST

Updated : Oct 21, 2022, 2:04 PM IST

અરવલ્લીમાં હવે બનશે સિવિલ અને આયુર્વેદ હોસ્પિટલ, હવે સારવાર માટે નહીં જવું પડે બહાર
અરવલ્લીમાં હવે બનશે સિવિલ અને આયુર્વેદ હોસ્પિટલ, હવે સારવાર માટે નહીં જવું પડે બહાર

અરવલ્લી જિલ્લામાં હવે સિવિલ હોસ્પિટલ (Arvalli Civil Hospital) અને 50 બેડની આયુર્વેદ હોસ્પિટલ બનશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ (vishwas thi vikas yatra) અંતર્ગત આ હોસ્પિટલ્સનું વર્ચ્યૂઅલ ખાતમુહૂર્ત (lays foundation stone by CM Bhupendra Patel) કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાવાસીઓની આરોગ્યની સુવિધામાં ફરી એક વાર વધારો થશે. કારણ કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અહીં નવી સિવિલ હોસ્પિટલ (Arvalli Civil Hospital) અને આયુર્વેદ હોસ્પિટલનું વર્ચ્યૂઅલ ખાતમુહૂર્ત (ayurved hospital lays foundation stone ) કરવામાં આવ્યું હતું. હવે અહીં 100.85 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ થશે.

4 જિલ્લાના લોકોને થશે ફાયદો આ સિવિલ હોસ્પિટલથી (Arvalli Civil Hospital) જિલ્લાની જનતા સહિત સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાનના લોકોને પણ લાભ મળશે. આ હોસ્પિટલથી લોકોને ઓપીડીથી લઈને ડાયાલિસીસ વોર્ડ અને બ્લડ બેન્કની સુવિધા પણ લોકોને ઘરઆંગણે મોડાસામાં જ મળી રહેશે.

4 જિલ્લાના લોકોને થશે ફાયદો
4 જિલ્લાના લોકોને થશે ફાયદો

સિવિલ હોસ્પિટલની વિગત હોસ્પિટલ (Arvalli Civil Hospital) કલેક્ટર કચેરીની બાજુમાં અને એન્જિનિયરિંગ કૉલેજની સામે તૈયાર થશે. 19,597.08 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં આ હોસ્પિટલ બનાવવામાં આવશે.

નવિન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉપ્લબ્ધ થનારી સુવિધાઓ અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર રજીસ્ટ્રેશન વિભાગ, OPD વિભાગ, એમ. સી.એચ. ડિપાર્ટમેન્ટ, ટ્રોમા સેન્ટર અને ઈમેજિંગ અને ડાયાગ્નોસ્ટીક, સી.એસ.એસ.ડી હશે. જ્યારે પ્રથમ ફ્લૉર પર OPD વિભાગ, 4 નંગ ઑપરેશન થિએટર, ઈન્ટેન્સિવ કેર, સર્જિકલ વોર્ડ (મેલ એન્ડ ફિમેલ- 36 બેડ), બ્લડ બેન્ક એન્ડ લેબોરેટરી હશે. તો બીજા ફલોર પર એ઼ડમીન ડિપાર્ટમેન્ટ, મેડીકલ વોર્ડ (મેલ એન્ડ ફિમેલ), ઓબ્સ્ટેટ્રીક વોર્ડ- 18 બેડ, પીડિયાટ્રિક વિથ એન.આર.સી. 18 બેડ, ગાયનેકોલોજિસ્ટ વોર્ડ 10 બેડ, ડાયાલીસીસ વોર્ડ હશે.

નવી સુવિધાઓ હશે
નવી સુવિધાઓ હશે

આ સુવિધા હશે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે (lays foundation stone by CM Bhupendra Patel) બનનારી 50 બેડની આ આયુર્વેદિક હોસ્પિટલથી લોકોને તેમના દર્દીના ઈલાજ આયુર્વેદિક પદ્ધતિથી (ayurved hospital lays foundation stone) કરવાનો માર્ગ મળી રહેશે. આજના જમાનામાં આયુર્વેદ ખૂબ જ પ્રચલિત બની રહ્યું છે. એવામાં આ હોસ્પિટલ જિલ્લાની જનતા માટે ખૂબ જ અસરકારક નીવડશે. આ હોસ્પિટલમાં OPD, યોગ , પંચકર્મ સહિતની સુવિધાઓ મળી રહેશે.

મોડાસા ખાતે બનશે 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ
મોડાસા ખાતે બનશે 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ

આયુર્વેદિક હોસ્પિટલની વિગત આ હોસ્પિટલ 1,888 ચોરસ મીટરની જગ્યામાં જિલ્લા સેવાસદન અને નવીન સિવિલ હોસ્પિટલની (Arvalli Civil Hospital) જગ્યાની બાજુમાં મોડાસામાં તૈયાર થશે. અહીં ગ્રાઉન્ડ્ ફ્લોર પર ઓ.પી.ડી. ડિપાર્ટમેન્ટ 3 નંગ, વૈધ પંચકર્મ રૂમ, પંચકર્મ મેલ એન્ડ ફિમેલ રૂમ. પ્રથમ ફ્લૉર પર 10 પથારીના 4 વોર્ડ, દવાબારી, તપાસરૂમ, નર્સિંગ રૂમ, યોગા રૂમ, સ્ટોર રૂમ, વહીવટી ઓફિસ, તથા સ્પેશિયલ રૂમ 4 નંગ હશે.

Last Updated :Oct 21, 2022, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.