ETV Bharat / state

મોડાસામાં લોકાર્પણની રહામાં ધૂળ ખાઇ રહી છે એમ્બ્યુલન્સ

author img

By

Published : May 8, 2021, 4:36 PM IST

Updated : May 8, 2021, 5:17 PM IST

મોડાસામાં લોકાર્પણની રહામાં ધૂળ ખાઇ રહી છે એમ્બ્યુલન્સ
મોડાસામાં લોકાર્પણની રહામાં ધૂળ ખાઇ રહી છે એમ્બ્યુલન્સ

કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે દર્દીઓને હોસ્પિટલ સુધી લઇ જવા માટે 108 એમ્બ્યુલન્સ મહત્વની ભૂમીકા ભજવે છે. જોકે અરવલ્લીના મોડાસાના સર્કિટ હાઉસ ખાતે માત્ર લોકાર્પણનની રાહમાં 6 એમ્બ્યુલન્સ છેલ્લાં 8 દિવસથી ધૂળ ખાઇ રહી છે.

  • કોરોનાનો કહેર યથાવત
  • 6 એમ્બયુલન્સ છેલ્લાં 8 દિવસથી ધૂળ ખાઇ છે
  • રીબીન કાપવાની રાહ જોવામાં આવી રહી છે

અરવલ્લીઃ જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે, દર્દીઓને સારવાર માટે સમયસર દવા, ઓક્સિજન અને બેડ મળતા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા ફાળવેલા કેટલાક સાધનો ધૂળ ખાઇ રહ્યા છે. મોડાસા સર્કિટ હાઉસ ખાતે છેલ્લાં 8 દિવસથી 6 એમ્બ્યુલન્સ ધૂળ ખાઇ છે. કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા જ્યારે દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે આવા કટોકટીના સમયે સર્કિટ હાઉસ ખાતે પાર્ક કરાયેલી આ એમ્બ્યુલન્સ ખરેખરે જે દિવસથી ફાળવાઇ છે તે દિવસથી કાર્યરત થવી જોઇએ. જોકે મળતી માહિતી અનુસાર રીબીન કાપવાની રાહ જોવામાં આવી રહી છે.

6 એમ્બયુલન્સ છેલ્લાં 8 દિવસથી ધૂળ ખાઇ છે
6 એમ્બયુલન્સ છેલ્લાં 8 દિવસથી ધૂળ ખાઇ છે

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં નવી 5 એમ્બ્યુલન્સ આવતા લોકોને તાત્કાલિક સારવાર મળશે

ચાર દિવસ અગાઉ એક સગર્ભા મહિલાએ 108 એમ્બ્યુલન્સ સમયસર ન મળવાના કરણે જીવ ગુમાવ્યો હતો

નોંધનીય છે કે ચાર દિવસ અગાઉ એક 20 વર્ષની કોરોનાગ્રસ્ત સગર્ભા મહિલાને મોડાસા કોવિડ કેર સેન્ટર પર ગાયનેક ન હોવાના કારણે હિંમતનગર ખસેડવા માટે ઇમજન્સી સર્વિસ 108 પર કોલ કર્યો હતો. 3 કલાક વીતી ગયા હોવા છતાં 108 પહોંચી ન હતી. સગર્ભા મહિલાની પ્રસુતાનો અંતિમ સમય હોવાને લઇ મહિલાનો જીવ જોખમમાં હતો. જોકે સમયસર સારવાર નહીં મળવાના પગલે મહિલા અને બાળકના મૃત્યું થયા હતા.

મોડાસામાં લોકાર્પણની રહામાં ધૂળ ખાઇ રહી છે એમ્બ્યુલન્સ

આ પણ વાંચોઃ કોરોના કહેર : એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા

Last Updated :May 8, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.