ETV Bharat / state

સોજીત્રા મૃતકોની અંતિમ યાત્રામાં શહેર હિબકે ચડ્યું

author img

By

Published : Aug 12, 2022, 7:52 PM IST

સોજીત્રા મૃતકોની અંતિમ યાત્રામાં શહેર હિબકે ચડ્યું
સોજીત્રા મૃતકોની અંતિમ યાત્રામાં શહેર હિબકે ચડ્યું

સોજીત્રાના ડાલી ગામ પાસે રક્ષાબંધનના Raksha Bandhan 2022 દિવસે અકસ્માતમાં એક સાથે 6 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. સોજીત્રામાં નવઘારા Accident case in Sojitraવિસ્તારમાં રહેતા મિસ્ત્રી પરીવારના ત્રણ વ્યક્તિના મોત થયા છે. આ ઘટનાને પગલે આખું શહેર જાણે શોકમગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આણંદ જિલ્લાના સોજીત્રા પાસે આવેલ ડાલી ગામ ખાતે થયેલા ગમખવાર અક્સ્માતમાં 6 લોકોના કમકમાટી ભર્યા Accident case in Sojitraમોત નીપજ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સોજીત્રા જનરલ હોસ્પિલમાં ખસેડ્યા હતા. મૃતકોમાં સોજીત્રામાં નવઘારા વિસ્તારમાં રહેતા મિસ્ત્રી પરીવારના ત્રણ વ્યક્તિઓ કે જે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માટે ગયા હતા. રિક્ષામાં પરત ફરી રહેલા આ પરીવારને કિયા ગાડી અડફેટે લેતા અકસ્માત થયો હતો.

મિસ્ત્રી પરિવારનો માડો વિખેરી નાખ્યો આ ઘટનામાં રિક્ષા ચાલક સહિત મિસ્ત્રી પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કરૂણ મોત triple accidentનીપજ્યા હતા. જ્યારે આજ અક્સ્માતમાં અન્ય એક બાઈક સવાર બે યુવાનોને પણ આ ગાડી ચાલક દ્વારા અડફેટે લેતાં તેમાં સવાર બે આશાસ્પદ યુવાનોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ સોજીત્રા જનરલ હોસ્પિલમાંથી જ્યારે મૃતકોના મૃતદેહ પરિવારનેaccident in Anand Sojitra સોપવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી, વિપુલ મિસ્ત્રીના પરિવારના એકજ ઝાટકે ત્રણ વ્યક્તિઓના જીવને ભરખી ગયેલા કાર ચાલક કેતન પઢિયારની લાપરવાહીએ મિસ્ત્રી પરિવારનો માડો વિખેરી નાખ્યો છે. જ્યારે રિક્ષા ચાલવી ગુજરાન ચલાવતા 38 વર્ષીય યાશીન વોહરાનો પણ આ અકસ્માતમાં સ્થળ પર કરૂણ મૃત્યુ થયું છે. જે બાદ આ મુસ્લિમ પરિવારે પણ પેત્યું રળતા મુખ્ય કમાવ સદસ્યને ગુમાવી દીધા હતા.

આ પણ વાંચો ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા

બે યુવાન દીકરા ગુમાવ્યા રક્ષાબંધન પર્વની ઉજવણી કરી નીકળેલા બોરીયાવીના રહેવાશી બે પિતરાઈ ભાઈઓને પણ કાળ બનીAccident on Rakshabandhan festival આવેલ આ ગાડી અડફેટે લેતા 20 વર્ષીય યોગેશ અને 19 વર્ષીય સંદીપ ઓડના પણ ગંભીર ઈજાઓ પહોંચતા અવસાન થયું હતું. બે યુવાન દીકરા ગુમાવતા બોરીયાવીના ઓડ પરિવાર પર પણ રક્ષાબંધનનો ભાઈ બહેનના પ્રેમનો તહેવારમા માતમ છવાઇ ગયો હતો. આ ઘટનામાં કિયા ગાડી ચાલકે ચાર પરિવારના 6 વ્યક્તિઓના એક સાથે જીવ લીધો હતો.

કેતન પઢિયાર સામે કડક કાર્યવાહીની માંગ સોજિત્રા ખાતે જ્યારે વિપુલ મિસ્ત્રીના પરિવારના સભ્યોની અંતિમ વિધિ માટે મૃતદેહો નાવાઘરા ખાતે તેમના ઘરે લાવવામાં આવ્યા, ત્યારે ખૂબ આક્રંદ સાથે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને ચલતે આખું શહેર જાણે શોકમગ્ન બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અચાનક તહેવારના દિવસે આવી કરૂણ ઘટનાએ મિસ્ત્રી પરિવારના ત્રણ સદસ્યોના જીવ ગુમાવ્યો છે. પરિવારે આ ઘટના માટે જવાબદાર ગાડીના ચાલક કેતન પઢિયાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

આ પણ વાંચો પોતાના જમાઈએ કરેલા અકસ્માત અંગે કોંગી MLAએ આપી પ્રતિક્રિયા કહ્યું

રાજકીય વગનો ઉપયોગન થાય અને કાર્યવાહી કરવામાં આવે સાથે મહત્વનું છે કે 6 લોકોને ભરડી ગયેલી કિયા ગાડીનો ચાલક કેતન પઢિયાર સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઈ થાય છે. તહેવારના પગલે ધારાસભ્ય સસરાના ઘરે પત્ની તથા બાળકોને મૂકી પરત ફરતા હોય તે સમયે દુર્ઘટના બની હોવાનું ધારાસભ્ય પૂનમ પરમારે જણાવ્યું હતું, તેવામાં ઘટનામાં પરિવારના સ્નેહી ગુમાવનાર પરિવાર જણો આ ઘટનામાં યોગ્ય ન્યાય મડી રહે અને રાજકીય વગનો ઉપયોગ કરી કાર ચાલક કેતન પઢિયાર છૂટીના જાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.