Anand Krishi University: આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સમિટ યોજાશે, વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાશે

author img

By

Published : Dec 13, 2021, 8:23 AM IST

Anand Krishi University:આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિ દિવસીય સમિટ યોજાશે, વડાપ્રધાન વર્ચ્યુઅલી જોડાશે

આણંદ કૃષિ યુનિવર્સિટી(Anand Krishi University) ખાતે તા. 14થી 16 ડિસેમ્બર, 2021 દરમિયાન ત્રિદિવસીય સમિટ (Anand Krishi University Three Day Summit )યોજાશે. ત્રણ દિવસના આ સેમિનારમાં 15 જ્ઞાનસત્રોમાં 10 થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 90 કરતાં વધુ વક્તાઓ વક્તવ્યો આપશે.

  • આણંદ કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન
  • ભારત સરકારની ખેતીના વિવિધ પાસા માટે અનેક પહેલ
  • એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ સહકારના નવા યુગમાં પ્રવેશ

આણંદ: કૃષિ યુનિવર્સિટી(Anand Krishi University) ખાતે તા. 14થી 16 ડિસેમ્બર, 2021 દરમિયાન ત્રિદિવસીય સમિટ(Anand Krishi University Three Day Summit ) યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત(Governor Acharya Devvrat), કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા (Union Minister Parshottam Rupala)15 ડિસેમ્બરે સમિટનું ઉદ્દઘાટન કરશે. રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ-સંવર્ધન પ્રધાન રાઘવજી પટેલ(Cow Breeding Minister Raghavji Patel), કુટિર ઉદ્યોગ, સહકાર તથા ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. જેમાં ખાસ કરીને તારીખ 16મી ડિસેમ્બરે સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વક્તાઓ વક્તવ્યો આપશે

આણંદના અમુલ સંકુલમાં(Amul Complex of Anand) સરદાર પટેલ ઑડિટોરિયમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, (Home Minister Amit Shah)કેન્દ્રીય કૃષિપ્રધાન પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર (Union Agriculture Minister Narendra Singh Tomar)તથા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Prime Minister Bhupendra Patel) પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ત્રણ દિવસના આ સેમિનારમાં 15 જ્ઞાનસત્રોમાં 10 થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 90 કરતાં વધુ વક્તાઓ વક્તવ્યો આપશે.

સરકારે ખેતીના વિવિધ પાસા માટે અનેક પહેલ

આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા કૃષિક્ષેત્ર આત્મનિર્ભર(Agriculture India is self-sufficient ) થાય એ ઘણું મહત્ત્વનું છે. આ અભિગમને ધ્યાનમાં રાખીને તથા અન્નદાતાઓને સક્ષમ કરવા માટે વડાપ્રધાનના દિશાસૂચન અનુસાર ભારત સરકારે ખેતીના વિવિધ પાસા માટે અનેક પહેલ શરૂ કરી છે. તેને આગળ ધપાવવા માટે ગુજરાતમાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તથા કૃષિપ્રધાન રાઘવજીભાઈ પટેલે વ્યૂહરચના તૈયાર કરી છે જેથી કૃષિને સાતત્યપૂર્ણ તથા ખેડૂતોને સફળ બનાવવાનું ધ્યેય છે.

કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન

આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત કૃષિમાં મૂલ્યવર્ધનની શૃંખલાના વિવિધ પાસાં વિશે ચર્ચા-વિચારણા કરવા તથા વૈશ્વિક જાણકારી તેમજ અત્યાધુનિક ટેકનોલોજી સાથે ખેડૂતોને સક્ષમ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સહકારના નવા યુગમાં પ્રવેશ’ વિષય ઉપર આણંદ કૃષિ યુનિવર્સિટી સંકુલમાં ત્રણ દિવસની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જે ઈવેન્ટ જાન્યુઆરી-2022માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) ની 10મી આવૃત્તિની પ્રિ-સમિટ રૂપે યોજાઈ રહી છે.

આ વિષયો પર થશે ચર્ચા

આ સમિટ કૃષિકારો, વિજ્ઞાનીઓ, કૃષિ-ઉદ્યોગ સાહસિકો તથા પ્રગતિશીલ ખેડૂતો માટે નોલેજ શૅરિંગ તથા નેટવર્કિંગ (ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો વચ્ચે સંકલન) માટે એક આદર્શ મંચ બની રહેશે. સમિટ દરમિયાન પ્રાકૃતિક ખેતી , એફપીઓની સંભાવનાઓ ઉજાગર કરવા તથા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ખેતીલક્ષી માળખાકીય સુવિધાઓ), એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ (Agro and food processing industry )વગેરે વિષયો પર ચર્ચા-વિચારણા થશે.

સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને તેના વૈવિધ્યસભર લાભ માટે પ્રોત્સાહન

ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને તેના વૈવિધ્યસભર લાભ માટે પ્રોત્સાહન આપી રહી છે. તે ઈકો-ફ્રેન્ડલી અને ઓછી ખર્ચાળ છે, તેનાથી આરોગ્ય સુખાકારી અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે. પ્રાકૃતિક ખેતીની સમગ્ર મૂલ્યવર્ધિત જમીનનો ઉપયોગ, ગુણવત્તામાં સુધારો, સર્ટિફિકેશન અને માર્કેટિંગ સહિત વિવિધ મુદ્દા પર આ ઈવેન્ટના વિવિધ સેમિનારમાં ચર્ચા થશે. દુનિયાની 300 કરતાં વધુ કંપની કૃષિ ક્ષેત્રનાં ઉપાયો અંગેનાં સંશોધનો પ્રદર્શિત કરશે. સમિટમાં ભારતના 5,000 કરતાં વધુ ખેડૂતો તેમજ 23 રાજ્યના અધિકારીઓ પ્રતિનિધિત્વ કરશે.

ખેતી ક્ષેત્રમાં હાલ ચાલી રહેલી યોજનાઓ પ્રદર્શિત કરશે

આ સમિટ આધુનિક પદ્ધતિ, યોજનાઓ તથા આ ક્ષેત્રની ટેકનોલોજી વિશે જાણવા માટેની ઉત્તમ તક બની રહેશે. તેમાં ભાગ લેવા માટે ઑનલાઇન માધ્યમ ઉપરાંત સ્થળ ઉપર રજિસ્ટ્રેશન કરાવી શકાશે. 14થી 16 ડિસેમ્બર દરમિયાન આણંદના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 9.30 સુધી પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી, ડેરી તથા ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં થયેલા ટેકનોલોજીકલ સંશોધન રજૂ કરવામાં આવશે. ડ્રોન દ્વારા નેનો ફર્ટિલાઈઝરના છંટકાવનું નિદર્શન આ કાર્યક્રમનું ખાસ આકર્ષણ બની રહેશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનાં સંગઠનો ખેતી ક્ષેત્રમાં હાલ ચાલી રહેલી યોજનાઓ પ્રદર્શિત કરશે. અન્ય પ્રદર્શકોમાં પ્રગતિશીલ ખેડૂતો, એફપીઓ, કૃષિ ઉદ્યોગ સાહસિકો, ડેરી અને સહકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Cold Wave In Gujarat December 2021 : ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક કોલ્ડવેવની આગાહી, ઠંડીનો પારો ઘટવાથી ઠંડીમાં થશે વધારો

આ પણ વાંચોઃ Kashi Vishwanath Temple Corridor: PM નરેન્દ્ર મોદીના વરદહસ્તે ઉદ્ધાટન, ગુજરાતના 35થી વધુ સાધુ સંતો જશે વારાણસી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.