ETV Bharat / state

4 હોસ્પિટલ પાસે ફાયર NOC ન હોવાથી Anand Fire Department દ્વારા અપાઇ નોટિસ

author img

By

Published : May 5, 2021, 3:32 PM IST

Updated : Jun 1, 2021, 2:45 PM IST

તાજેતરમાં ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાને કારણે 17 કોરોના દર્દીના મોત થયા હતા. જે બાદ ફરીથી ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department ) દ્વારા 17 હોસ્પિટલમાં ફાયર NOC છે કે કેમ તે અંગે તપાસ કરી હતી. જેમાંથી 4 હોસ્પિટલ પાસેથી ફાયર NOC ન હોવાને કારણે આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department ) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

Anand Fire Department
Anand Fire Department

  • આણંદ શહેરમાં કુલ 17 હોસ્પિટલમાં કોરોના દર્દીઓને આપવામાં આવે છે સારવાર
  • આણંદ ફાયર વિભાગ દ્વારા ફાયર NOC માટે ચાર હોસ્પિટલને આપવામાં આવી નોટિસ
  • ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા આરોગ્ય ક્ષેત્રે ગતિવિધિ તેજ

આણંદ : કોરોના મહામારીમાં ભરૂચની હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓ ના મોત થવાની ઘટના બન્યા બાદ આણંદ ફાયર વિભાગ( Anand Fire Department ) હરકતમાં આવ્યું છે. આણંદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપતી સરકારી અને ખાનગી 17 હોસ્પિટલમાં આણંદ ફાયર વિભાગે ( Anand Fire Department ) અચાનક ફાયર સેફ્ટી NOC માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

4 હોસ્પિટલ પાસે ફાયર NOC ન હોવાથી આણંદ ફાયર વિભાગ દ્વારા અપાઇ નોટિસ

આ પણ વાંચો - આણંદ ફાયર વિભાગનો સપાટોઃ તંત્રએ બે દિવસમાં 40થી વધુ હૉસ્પિટલને નોટિસ પાઠવી

આણંદ ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફાયર NOC અંગેનું ચેકિંગ હાથ ધરાયું

આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department )માં ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આણંદ શહેરની મોટા ભાગની હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વર્તમાન કોરોના મહામારી વચ્ચે જ્યારે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બન્યા બાદ તકેદારીના ભાગ રૂપે આણંદ ફાયર વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપતી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ અને ફાયર NOC માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - આણંદ ફાયર વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ

આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department )ના ચીફ ફાયર ઓફિસર - અન્ય હોસ્પિટલમાં સબસલામત છે

આ ચેકિંગ દરમિયાન આણંદ શહેરમાં આવેલી 4 ખાનગી હોસ્પિટલમાં ફાયર NOC ન હોવાની જાણકારી સામે આવી છે, જ્યારે અન્ય હોસ્પિટલમાં સબસલામત હોવાનો દાવો આણંદ ફાયર વિભાગ ( Anand Fire Department )ના ચીફ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા ફાયર NOCની માંગણી કરવામાં આવે છે કેમ? તે પણ એક સવાલ છે.

આ પણ વાંચો - વીજળી પડવાથી પૂળાની ગાંસડીઓમાં લાગી આગ, આણંદ ફાયર વિભાગ દ્વારા આગ પર મેળવાયો કાબૂ

Last Updated :Jun 1, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.