ETV Bharat / state

Unseasonal Rains : અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં થયું નુકશાન

author img

By

Published : Mar 5, 2023, 10:09 PM IST

unseasonal rains : અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થતા ખેડૂતના પાકમાં વ્યાપક નુકશાન
unseasonal rains : અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થતા ખેડૂતના પાકમાં વ્યાપક નુકશાન

અમરેલી જિલ્લામા કમોસમી વરસાદ પડતાં આજુ બાજુના વિસ્તારમાં ખેડૂતના પાકમાં વ્યાપક નુકશાન થયું છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી હજુ પણ યથાવત છે. ધારી પંથકમાં વરસાદી માહોલ પણ છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે.

unseasonal rains : અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થતા ખેડૂતના પાકમાં વ્યાપક નુકશાન

અમરેલી : હવામાન વિભાગના દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે અરબી સમુદ્રમાં સર્જાયેલા અર્બન ડિસ્ટર્બના કારણે રાજ્યમાં શનિવારે સાંજે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદમાં ખેડૂતોનો મહામુલો પાકને નુકશાન થયું છે. કમોસમી વરસાદ પડતાં અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ બન્યું હતું જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, બગસરા, બાબરામાં ધોધમાર વરસાદ બાદ શેરીઓ ગલીઓમાં પાણી વહેતા થયા હતા.

ખેડૂતો વરસાદથી પાકોમાં નુકશાન જવાની ભીતિ છે : બાબરા શહેરની બજારોમાં પાણી વહેતા થયા હતા. તો તાલુકાના વાંડળિયા, ખાખરિયા, દરેડ, જામબરવાળા, લુણકી, ગળકોટડીમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોના રવીપાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. હાલ ખેતરમાં જીરું, ધાણા, ચણા, ઘઉં સહિતના રવીપાકો ઊભા છે. આ માવઠાના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થશે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાક જેવા કે કેસર કેરીના પાકમાં વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી છે. ધારી, સુખપુર, કાંગસા, ગોવિંદપુરા, દલખાણીયા, સરસીયા, હિરવા, ગીરકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં માવઠું થયું હતું. ખેડૂતો વરસાદથી પાકોમાં નુકશાન જવાની ભીતિ છે.

આ પણ વાંચો : Unseasonal Rain : કમોસમી વરસાદે બનાસકાંઠાના ખેડૂતોની ખુશી નારાજગીમાં ફેરવી, ચોતરફ તારાજી સર્જાઇ

ખેડૂતો માટે હવે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે : હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે સાંજે ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મહામુલા પાક માટે ધાતક સાબિત થયો છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ સિવાય ઘઉં, ચણા, એરંડા અને ધાણાના તૈયાર પાકને નુકશાન થયું છે. આ વિસ્તારના ખેડૂતો માટે હવે દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ધારી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને જે નુકસાન થયું છે. તેમા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો અર્ધો પાક નાશ પામ્યો છે. અને જે અર્ધો પાક બચ્યો છે તે પલળી ગયો છે. જેના કારણે તેની ગુણવત્તા ઓછી થઈ ગઈ છે પરીણામે તેના પુરતા ભાવ નહી મળે. આવા સંજોગોમાં ખેડૂતો હવે લાચારી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad Unseasonal Rain: ઠંડીમાં રાહતની આશા પર વરસાદે પાણી ફેરવ્યું, મહામાં માવઠું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.