ETV Bharat / state

અમરેલીના જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Jul 23, 2020, 2:28 PM IST

etv bharat
અમરેલી : જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો

અમરેલીના જાફરાબાદ તાલુકાના સાકરીયા વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણોસરથયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમરેલી: જાફરાબાદ તાલુકામાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. સાકરીયા વિસ્તારમાં બાવળની કાટ નીચેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કોલર આઈ.ડી.વાળો સિંહ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

etv bharat
અમરેલી : જાફરાબાદ નજીકથી વધુ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો

એક જ અઠવાડિયામા એક જ વિસ્તારમાંથી બીજા સિંહનુ મોત થતા વનવિભાગ દોડતુ થયુ હતુ. બીમારીના કારણે સિંહનુ મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે.વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણો સર થયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.