ETV Bharat / state

વૈકલ્પિક જગ્યા માટે સરદાર સરોવર નિગમ સામે હાઇકોર્ટમાં રિટ

author img

By

Published : Oct 5, 2019, 1:50 AM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અર્જુનસિંહ સોલંકી દ્નારા શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી રીટ મુદ્દે રાજ્ય સરકારે વૈકલ્પિક લોટ અથવા જગ્યા મુદ્દે સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવાની સંભાવના વ્યક્ત કરી હતી.

વૈકલ્પિક જગ્યા માટે સરદાર સરોવર નિગમ સામે હાઇકોર્ટમાં રિટ

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અર્જુનસિંહ સોલંકી તથા સહદેવસિંહ સોલંકી દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે હાલમાં જે જગ્યા ઉપર અમે એક પ્રતિમા હોટલ નામે એક ઢાબો ચલાવી રહ્યા છીએ. તે જગ્યા અમારા પિતા રમેશભાઈ સોલંકીને 1979માં લીઝ પર આપવામાં આવી હતી. અમારા પિતા દ્વારા અને ત્યારબાદ અમારા દ્વારા નિયમિત પણે અને સમયસર ભાડું ભરવામાં આવ્યું છે. અમે આ જગ્યાએ કાયદેસરનું લાઈટ કનેક્શન લઈને તેનું નિયમિત સમયસર બીલ ભરીએ છીએ અને જરુરી તમામ લાઇસન્સ અને પરવાનગીઓ મેળવેલી હતી. નિયમિત અને સમયસર તમામ ટેક્સ પણ ભરીએ છીએ.

આ પીટીશન દાખલ કરી છે અને અરજી કરવામાં આવી છે કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જેથી અમે અમારી રોજીરોટી કમાઈ શકીએ. જ્યાં સુધી આ પિટિશનનો નિકાલ ન આવે ત્યાં સુધી અમારી આ જગ્યા ખાલી કરવાની નોટિસ વિરુદ્ધ સ્ટે ઓર્ડર આપવામાં આવે. આ પિટિશન ચિફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ ચાલી જતા, હાઈકોર્ટે સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે શું આપ નીચલી અદાલતમાં જ્યારે અરજી દાખલ કરવામાં આવી ત્યારે આપના વકીલ દ્વારા જે વ્યવસ્થા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો તે પ્રમાણે શું આપ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માગો છો કે કેમ? જેના જવાબમાં સરકારી વકીલે સોમવાર સુધીનો સમય માંગ્યો છે. તેથી આ કેસની વધુ સુનાવણી સોમવારે રાખવામાં આવી હતી.

અરજદારે પિટિશનમાં જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષથી આ જગ્યાનો કબજો ધરાવીએ છીએ અને આ એક માત્ર અમારી રોજીરોટીનું સાધન છે. અમને આ જગ્યા ખાલી કરવા માટે એક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ અમે નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તે સમયે સરકારી વકીલ દ્વારા અમને મૌખિક રીતે વૈકલ્પિક જગ્યા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. તેથી અમે અમે નીચલી અદાલતમાંથી અમારી અરજી પરત ખેંચવા માટે જજને વિનંતી કરેલી ત્યારે જે તે અદાલતે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલા વાયદાની નોંધ લઇ અમે અરજી પરત ખેંચવા અનુમતિ આપી હતી અને અમે અરજી પરત ખેંચી હતી, ત્યારબાદ અમને કોઇપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા આપ્યા વગર એક મહિનામાં જગ્યા ખાલી કરવા નોટિસ મળી હતી. જેમાં અમારે એક મહિનામાં આ જગ્યા ખાલી કરવી, તેવું જણાવવામાં આવ્યુ હતું. આ વિશે અમે એક પિટિશન સિંગલ જજની બેન્ચ સમક્ષ દાખલ કરી હતી. જે ફગાવી દેવામાં આવેલી હતી.

Intro:ગુજરાત હાઇકોર્ટમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અર્જુનસિંહ સોલંકી સામે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી રીટ મુદ્દે રાજ્ય સરકારે વૈકલ્પિક લોટ અથવા જગ્યા મુદ્દે સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવાની સંભાવના વ્યક્ત કરી છે..


Body:સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, કલેક્ટર તથા ડેપ્યુટી કલેક્ટર નર્મદા જિલ્લા સામે અર્જુનસિંહ સોલંકી તથા સહદેવસિંહ સોલંકી દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં જે જગ્યા ઉપર અમે એક પ્રતિમા હોટલ નામે એક ઢાબુ ચલાવી રહ્યા છીએ.આ જગ્યા અમારા પિતાશ રમેશભાઈ સોલંકીને 1979માં લીઝ પર આપવામાં આવી હતી. અમારા પિતા દ્વારા અને ત્યારબાદ અમારા દ્વારા નિયમિત પણે અને સમયસર ભાડું ભરવામાં આવ્યું છે. અમે આ જગ્યાએ કાયદેસરનું લાઈટ કનેક્શન લઈને તેનું નિયમિત સમયસર બીલ ભરીએ છીએ અને જરું તમામ લાઇસન્સ અને પરવાનગીઓ મેળવેલી છે. નિયમિત અને સમયસર તમામ ટેક્સ પણ ભરીએ છીએ.

આ પીટીશન દાખલ કરી છે. અને અરજી કરવામા આવી છે કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જેથી અમે અમારી રોજીરોટી કમાઈ શકીએ. જ્યાં સુધી આ પિટિશનનો નિકાલ ન આવે ત્યાં સુધી અમારી આ જગ્યા ખાલી કરવા ની નોટિસ વિરુદ્ધ સ્ટે ઓર્ડર આપવામાં આવે. આ પિટિશન ચિફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રી ની ખંડપીઠ સમક્ષ ચાલી જતા, હાઈકોર્ટે સરકારી વકીલ ને પ્રશ્ન કર્યો હતો કે શું આપ નીચલી અદાલતમાં જ્યારે અરજી દાખલ કરવામાં આવી ત્યારે આપના વકીલ દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો તે પ્રમાણે શું આપ આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગો છો કે કેમ? જેના જવાબમાં સરકારી વકીલે સોમવાર સુધી નો સમય માંગ્યો છે. તેથી આ કેસની વધુ સુનાવણી સોમવારે રાખવામાં આવી છે.


Conclusion:અરજદારે પિટિશનમાં જણાવ્યું હતું કે છેલ્લા ૪૦ વર્ષથી આ જગ્યાનો કબજો ધરાવીએ છીએ અને આ એક માત્ર અમારી રોજીરોટીનું સાધન છે. અમને આ જગ્યા ખાલી કરવા માટે એક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ અમે નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી તે સમયે સરકારી વકીલ દ્વારા અમને મૌખિક રીતે વૈકલ્પિક જગ્યા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. તેથી અમે અમે નીચલી અદાલતમાંથી અમારી અરજી પરત ખેંચવા માટે જજ સાહેબને વિનંતી કરેલ ત્યારે જેતે અદાલતે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલા વાયદા ની નોંધ લઇ અમે અરજી પરત ખેંચવા અનુમતિ આપી હતી અને અમે અમે અરજી પરત ખેંચી હતી. ત્યારબાદ અમને કોઇપણ પ્રકારની વૈકલ્પિક જગ્યા આપ્યા વગર એક મહિના માં જગ્યા ખાલી કરવા નોટિસ મળી હતી. જેમાં અમારે એક મહિનામાં આ જગ્યા ખાલી કરવી, તેવું જણાવવામાં આવેલ છે. આ વિશે અમે એક પિટિશન સિંગલ જજની બેન્ચ સમક્ષ દાખલ કરી હતી જે ફગાવી દેવામાં આવેલ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.