મંકીપોક્સ વાયરસ શું છે, શું છે તેના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું જોઈએ જૂઓ આ અહેવાલ..

author img

By

Published : Jul 19, 2022, 9:23 PM IST

મંકીપોક્સ વાયરસ શું છે, શું છે તેના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું જોઈએ જૂઓ આ અહેવાલ..

ભારતમાં મંકીપોક્સના(monkeypox) બીજા કેસની જાણ થતાં, દેશમાં ભયનું મોજું ઊભું(monkeypox virus )થયું છે. ચેપ વિશે તમારે જે જાણવાની જરૂર છે. તો જાણો તે કઈ રીતે ફેલાય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ.

અમદાવવાદઃ વિશ્વના 70 દેશમાં ફેલાયેલા મંકીપોક્સ (monkeypox) વાયરસનો હવે ભારતમાં ફેલાવો વધતો જાય છે. લોકોની બેદરકારી નવી આફત નોંતરે નહીં તો સારુ. લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે. મંકીપોક્સ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારમાં (monkeypox virus )વધારે પ્રમાણમાં ફેલાય છે. એટલે બીનજરુરી ભીડ ભેગી થતી અટકાવવાની જરુર છે. કેરળના કન્નુરમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો છે. રાજ્યના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જે બીજા કેસની પુષ્ટિ કરી છે.

મંકીપોક્સ વાયરસ

મંકીપોક્સના લક્ષણો ફ્લૂના રોગ જેવા - મંકીપોક્સ દુર્લભ અને હળવો સંક્રમિત (monkeypox cases )વાયરસ છે. તે આફ્રિકાના કેટલાક ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો. આ બીમારી સ્મોલ પોક્સ જેવી જ લાગે છે. તેના લક્ષણો ફ્લૂના રોગ જેવા જ છે. પરંતુ આ વાયરસ પ્રાણીઓમાંથી લોકોમાં ફેલાય છે.

શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ? - યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો( monkeypox symptoms )જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાયbઅને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.

ઝડપથી ફેલાવાનું કારણ ? - વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે. જેમાં વાઇરસ મંકીમાંથી માણસમાં આવે છે અને માણસ એક બીજાના સંપર્કમાં આવવાથી વાયરસ ફેલાય છે. વાયરસ લાગ્યો હોય તેના મોમાંથી, નાક વાટે આનું સંક્રમણ ફેલાય છે.

આ પણ વાંચોઃ મંકીપોક્સનો નામના ભયાનક રોગની દસ્તક, જાણો બિમારી વિશે

શું છે મંકીપોક્સ વાયરસ ? - આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.

મંકીપોક્સથી બચવા શું કરવું જોઈએ - મંકીપોક્સના કોઈ ખાસ ટ્રિટમેન્ટ આવી નથી.જે લોકોએ સ્મોલ પોક્સની વેકસીન લીધી છે તેવા દેશમાં ઝડપથી ફેલાશે નહિ તેવું તારણ છે. ભારતમાં નહીં આવે પરંતુ તેમ છતાં કેસ કે લક્ષણ જોવા મળશે તો 21 દિવસ આઇસોલેટ રાખવા જોઈએ. જેથી બીજા સંપર્કમાં નહિ આવે અને ફેલાય નહિ, જિનેટિક્સ કહેવાય છે.

આ પણ વાંચોઃ જાણો શું છે મંકીપોક્સ અને તેને અટકાવવાના ઉપાયો

ક્યાંથી આવ્યો વાઇરસ - કોરોના પણ ચામચીડિયામાંથી આવ્યો હતો તેવું કહેવાય છે. મંકીપોક્સ પણ જિનેટિક્સ લાગે છે મંકી અને આફ્રિકાના જંગલમાંથી આવ્યો હોય શકે.મંકી પોક્સ વાઇરસ અંગે માહિતી આપતા ડૉ મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે આ વાઇરસ સ્મોલ પોક્સમાંથી ફેલાતો વાઇરસ છે, જે એક બીજાના સંપર્કમાં આવવાથી થઈ રહ્યો છે. તેનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે, કોરોનાની સરખામણીમાં ઘણો ભેદ છે. બન્ને વાઇરસ અલગ પ્રકારના છે. આ વાઇરસ કોઈપણ લગ્નસ અથવા અન્ય ભાગમાં ખાસ કોઈ ઈફેક્ટ નથી કરતો જેથી કોરોનાની સરખામણી વાઇરસ એટલું ગંભીર નથી પરંતુ મેડિકલ રીતે તેનું ધ્યાન ખુબજ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.