વાઘાણી અને યુવરાજસિંહ આજે સોશ્યલ મિડીયામાં ટ્રેન્ડિંગ રહ્યા, જાણો શું હતા મુદ્દા

author img

By

Published : Apr 7, 2022, 8:09 PM IST

વાઘાણી અને યુવરાજસિંહ આજે સોશ્યલ મિડીયામાં ટ્રેન્ડિંગ રહ્યા, જાણો શું હતા મુદ્દા

હાલ ગુજરાતમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Waghani)વિવાદાસ્પદ નિવેદન અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડની ચર્ચાએ (Waghani Yuvraj Singh Trending)જોર પકડ્યું છે. આ બન્ને ઘટના ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહી છે. જાણીએ આ બન્ને ઘટનાઓનો સમગ્ર મામલો શું છે.

અમદાવાદઃ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદને (Controversial statement by Vaghani) લઇને તેમની આકરી ટીકા થઈ રહી છે. તેમણે જેમને ગુજરાતમાં ન ગમતું હોય તો જે દેશ રાજ્યમાં ગમતું હોય ત્યાં સર્ટિફિકેટો લઇને જવાનું નિવેદન આપ્યું હતું. આપ અને કોંગ્રેસે જીતુ વાઘાણીના આ નિવેદનને વખોડી કાઢ્યું છે.

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ - શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બુધવારે રાજકોટના એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન (Controversial statement by Vaghani)કર્યું હતું. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ કરનારાને જીતુ વાઘાણીએ જાહેરમાં મીડિયાની હાજરીની નોંધ લઈને કહ્યું હતું કે જે લોકોને બીજા રાજ્યનું શિક્ષણ ગમે તો સર્ટિફિકેટ લઈને જતું રહેવું જોઈએ. જે નિવેદન પછી આકરા પ્રત્યાઘાત આવ્યાં છે.દિલ્હીના શિક્ષણપ્રધાન મનિષ સિસોદિયાએ ટ્વીટ (Manish Sisodia Tweet ) કરી વાઘાણીને જડબાતોડ જવાબ આપતાં સરકાર હવે બચાવ પક્ષમાં આવી ગઈ છે.

ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ - તેમના નિવેદન પછી આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં શિક્ષણને સુધારવાની જગ્યાએ રાજ્ય છોડી જવાની વાત કરી રહ્યા છે, તે શિક્ષણપ્રધાનને શોભતી નથી. અને ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ Yuvrajsinh Jadeja Arrested: યુવરાજસિંહ પર ખોટો ગુનો દાખલ કર્યો, સરકાર નહિ માને તો પરિવર્તન થશે

યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ - છેલ્લા પંદર દિવસથી વિદ્યા સહાયકોના ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજા સ્થળ પર હાજર હતા ત્યારબાદ મહિલાઓની અટકાયત(women were detained)કરીને પોલીસ હેડક્વાર્ટર(Police Headquarters) લઈ જતા યુવરાજસિંહ જાડેજાએ હેડકાવર્ટ્સ પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીમાં ખલેલ પહોંચાડી હતી જેથી આ બાબતે યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પેપર કાંડનો પર્દાફાશ કરનારા - રાજ્યમાં હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર કાંડનો પર્દાફાશ કરનારા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની સામે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ (Police Complaint against Yuvrajsinh Jadeja) છે. મંગળવારે વિદ્યા સહાયક ઉમેદવારો ગાંધીનગર વિરોધ કરવા પહોંચ્યા હતા. યુવરાજસિંહ પર આક્ષેપ છે કે, તેમણે પોલીસકર્મી પર ગાડી ચડાવી છે. સાથે જ તેમણે વિરોધ કરવા આવેલા વિદ્યા સહાયક ઉમેદવારોને ઉશ્કેર્યા (Yuvrajsinh Jadeja Arrested) હતા.

આ પણ વાંચોઃ Manish Sisodia Tweet : મનીષ સિસોદીયાએ કહ્યું ગુજરાતમાં જ દિલ્હી જેવું સારું શિક્ષણ આપીશું, વાઘાણીને જડબાતોડ જવાબ અપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.