ETV Bharat / state

Uniform Civil Code: ધર્મને નામે અલગ કાયદા બનાવીને સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો હક કોઈને આપી શકાય નહિ: VHP

author img

By

Published : Jul 30, 2023, 5:55 PM IST

્

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મ છોડીને અન્ય ધર્મમાં પરિવર્તન થયેલા લોકોને પરત લાવવાનું માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા લાવવામાં આવેલ સમાન સિવિલ કોડને પણ સમર્થન આપ્યું છે. જાન્યુઆરી મહિનામાં ભગવાન રામ ગર્ભગૃહમાં બિરાજમાન થાય તે વખતે તેમના અભિષેક માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વની નદીઓના જળના કળશમાં લાવીને તેમનો જળા અભિષેક કરવામાં આવશે.

દેશમા સમાન સિવિલ કોડ જરૂરી

અમદાવાદ: આગામી જન્માષ્ટમીથી વિશ્વ હિન્દુ પરિષદનું ષષ્ઠી પૂર્તિ વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. સંગઠનના સ્થાપના 60માં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હિન્દુ સમાજ તથા ભારત માતાની સેવાના ઉદ્દેશથી સમગ્ર દેશમાં જિલ્લા સ્થળ સુધી દ્વારા ભવ્ય શોભાયાત્રા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રત્યેક વિસ્તારમાં સાધુ સંતો દ્વારા સામાજિક સમરૂપતાનો ઉદ્દેશથી પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે.

ધર્મ પરિવર્તન પર લગામ: વિશ્વ હિન્દુ પરિષદના કોષાઅધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે હમણાં જ ધર્મસ્વતંત્રતા વિધાયક અનુસાર મધ્ય પ્રદેશની જાબુવા કોર્ટે ખ્રિસ્તી મશીનરી સાથે જોડાયેલા બે પદારીને લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનારને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. સજાને ખૂબ જ આવકારદાયક છે. તમામ સરકારે જેમને ધર્મ સ્વતંત્રતા વિધાયક બનાવીને ધર્મની સંસ્કૃતિ પ્રત્યે બધતા દર્શાવી છે. ભવિષ્યમાં પણ આવા નિર્ણય દેશમાં લોક લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનાર લોકોને લગામ લગાવશે.

સમાન કાયદો લાવવો જરૂરી: વધુમાં જણાવ્યું હતું કે જે પણ લોકો આ વાત લોભ લાલચ આપીને ધર્માંતરણ કરાવનારા લોકો સામે ચિમકી ઉચ્ચારી છે. જે લોકો ધર્માંતરણ કરીને અન્ય ધર્મ પરિવર્તન કરીને ગયા છે. તેવા લોકોને પણ પોતાના ધર્મમાં પાછા લાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા જે સમાન નાગરિક અધિકાર નો કાયદો લાવવામાં આવી રહ્યો છે. તે પણ યોગ્ય છે. દેશમાં ધર્મને નામે અલગ અલગ કાયદા બનાવીને સ્ત્રીઓ પર અત્યાચાર કરવાનો, ખુલ્લેઆમ પરવાનો આપી શકાય નહીં. ત્રીપલ તલાક, હલાલા, સ્ત્રીઓને પરિવારની મિલકતમાં હક નહીં, ચાર પત્નીઓને છૂટ જેવા કાયદાઓ દેશ માટે યોગ્ય કહેવાય નહી.

વિશ્વની નદીઓનો જળાભિષેક: અયોધ્યા રામ મંદિર વિશે પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં અયોધ્યાની અંદર ભગવાન રામ જ્યારે ગર્ભગૃહમાં બિરાજમાન થશે. તે પ્રસંગે ભગવાન રામનો અભિષેક કરવા માટે દેશભરમાંથી પ્રત્યેક ગામ અને પવિત્ર નદીઓના તેમજ દરિયાનું પાણી લાવીને જળ એકત્રિત કરી તેમનો અભિષેક કરવામાં આવશે જેમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની પ્રસિદ્ધ નદીઓનો પણ જળ તાંબાના કળશમાં લાવીને તેમનો અભિષેક કરવામાં આવશે આ ઉપરાંત ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવનો સાક્ષી બનવા માટે તીર્થસ્થાનો નાના મોટા મંદિરો કે ધાર્મિક સ્થાનોએ પણ એલઇડી સ્ક્રીન લગાવીને તેમનું લાઈવ દર્શન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

  1. PM Modi's big statement : એક દેશ બે કાનુનથી ન ચાલી શકે - વડાપ્રધાન મોદી
  2. Uniform Civil Code: લો કમિશન યુનિફોર્મ સિવિલ કોડ મામલે જનતા અને ધાર્મિક સંસ્થાઓના મંતવ્યો માંગ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.