The environment purification: પર્યાવરણ શુદ્ધિકરણના ઉદ્દેશથી અમદાવાદના 64 વર્ષીય વૃધ્ધે કરી ગંગા પરિક્રમા

author img

By

Published : Dec 7, 2021, 12:19 PM IST

The environment purification: પર્યાવરણ શુદ્ધિકરણના ઉદ્દેશથી અમદાવાદના 64 વર્ષીય વૃધ્ધે કરી ગંગા પરિક્રમા
The environment purification: પર્યાવરણ શુદ્ધિકરણના ઉદ્દેશથી અમદાવાદના 64 વર્ષીય વૃધ્ધે કરી ગંગા પરિક્રમા ()

અમદાવાદમાં રહેતા 64 વર્ષીય હિરેન પટેલે 222 દિવસમાં ગંગાજીની 6228 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે. તેમણે પર્યાવરણ શુદ્ધિકરણના (The environment purification) ઉદ્દેશથી અને લોકોમાં જાગ્રતી આવે તે તેનો મુખ્ય હેતુ હતો. હિરેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ દરરોજ 15 થી 20 કિલોમીટર ચાલે છે અને સાદું ભોજન લેવાનુ પસંદ કરે છે. હવે તેમનો લક્ષયાંક નર્મદા પરિક્રમા કરવાનો છે.

અમદાવાદના 64 વર્ષના હિરેન પટેલે કરી ગંગા પરિક્રમા

● કુલ 6628 કિલોમીટરની પગપાળા યાત્રા

● 222 દિવસ પરિક્રમા કરતા લાગ્યા

અમદાવાદ: અમદાવાદમાં રહેતા 64 વર્ષીય હિરેન પટેલે 222 દિવસમાં ગંગાજીની 6228 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે. તેમણે પર્યાવરણ શુદ્ધિકરણના (The environment purification) ઉદ્દેશથી અને લોકોમાં જાગ્રતી આવે તે તેનો મુખ્ય હેતુ હતો. હિરેન પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિક્રમાના કેટલાક નિયમો હોય છે. જેમાં નદીને જમણી બાજુ રાખીને જ પરિક્રમા કરવાની હોય છે. નદીને કોઈપણ જગ્યાએથી ઓળંગી શકાતી નથી. તેમણે આ પરિક્રમા અલ્હાબાદથી શરૂ કરી હતી, જેમાં તેમણે 45 શહેરો અને 5 હજાર ગામડાનો પ્રવાસ ખેડ્યો છે. રસ્તામાં પહાડ, જંગલ અને તળાવો ઓળંગ્યા છે. આ પરિક્રમામાં અનેક તકલીફો અને ઇજાઓ સહન કરવી પડી છે, ત્યારે નદી ઓળંગી શકાતી ન હોવાથી સીધા રસ્તા હોવા છતાં, કેટલાક કિલોમીટર દૂર જવું પડ્યું છે. ગંગા પરિક્રમા કરતા સમયે તેમણે ફક્ત ગંગાને 'ગંગા સાગર અને ગૌમુખથી જ ઓળંગી છે.

The environment purification: પર્યાવરણ શુદ્ધિકરણના ઉદ્દેશથી અમદાવાદના 64 વર્ષીય વૃધ્ધે કરી ગંગા પરિક્રમા

આ પણ વાંચો: પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે વિશેષ ટ્રેન

અમદાવાદથી લંડન બાઇક પ્રવાસ 62 દિવસમાં પૂર્ણ કર્યો

હિરેન પટેલે 2018માં બાઇક દ્વારા અમદાવાદથી લંડન સુધી 62 દિવસમાં પ્રવાસ પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ આફ્રિકા કીલીમાંજારો એવરેસ્ટ બેઝ કૅમ્પ અને સધર્ન ટ્રેકના પ્રવાસો પણ ખેડેલ છે. તેઓ કહે છે કે, વ્યકતીએ તેમના જન્મદિને એક વૃક્ષ વાવવું જોઈએ.

આ પણ વાંચો: ધીમે ધીમે સમજાવટથી પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પરત થઈ રહ્યા છે

હવે થશે નર્મદા પરિક્રમા
હિરેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ દરરોજ 15 થી 20 કિલોમીટર ચાલે છે અને સાદું ભોજન લેવાનુ પસંદ કરે છે. હવે તેમનો ટાર્ગેટ નર્મદા પરિક્રમા કરવાનો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.