ETV Bharat / state

ગાંધી@150ઃ કાંતણથી કમ્પ્યુટરનો અભ્યાસ કરાવતી ગૂજરાત વિદ્યાપીઠ

author img

By

Published : Aug 21, 2019, 5:42 PM IST

Updated : Aug 21, 2019, 6:12 PM IST

કાંતણથી કમ્પ્યુટરનો અભ્યાસ કરાવતી ગૂજરાત વિદ્યાપીઠ

અમદાવાદઃ ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શોને શૈક્ષણિક જીવનમાં અનુસરીને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા એટલે ગૂજરાત વિદ્યાપીઠ. મહાત્મા ગાંધીએ 1920માં સ્વતંત્ર સંગ્રામની શાળા રૂપે શરૂ કરેલી ગૂજરાત વિદ્યાપીઠની આજે કાંતણથી કમ્પ્યુટરની જ્ઞાન આપી રહી છે. હેતુસરના આદર્શો સાથે સ્થાપવામાં આવેલી આ સંસ્થા પોતાના મૂલ્યો-વિચારોને કારણે અલગ તરી આવે છે. પોતાના આગવા મૂલ્યો ધારાવતી આ સંસ્થા શિક્ષણ સિવાય વિદ્યાર્થીના જીવન ભણતર માટે વધારે ઉપરોયગી છે. આજે સમગ્ર દેશ ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે ગૂજરાત વિદ્યાપીઠને પણ 99 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, આવો આપણે વિદ્યાપીઠના નોખા ઈતિહાસના સાક્ષી બનીએ...

વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર, 1920માં ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી જ હતા, ત્યારબાદ બીજા કુલપતિ તરીકે દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજા કુલપતિ તરીકે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદો પણ સેવાઓ આપી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ વિદ્યાપીઠના ચોથા કુલપતિ તરીકે સેવાઓ આપી હતી, ત્યારબાદ અનેક મહાનુભાવોએ વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે સેવા આપી. અહીં ગાંધીજીનો મૌન ખંડ અને સર્વધર્મ પ્રાથના ખંડ વિદ્યાપીઠની એક આગવી શોભા છે.

કાંતણથી કમ્પ્યુટર સુધીનું શિક્ષણ આપતી ગૂજરાત વિદ્યાપીઠ વ્યક્તિના સર્વાંગી વિકાસથી જીવન ઘડતર પર વધારે ધ્યાન આપે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત તમામ સેવકો કર્મચારીએ ખાદીનો ગણવેશ પહેરે છે. અહીં દરરોજ અહિંસાની પ્રાર્થના સાથે રેંટિયો કાંતવા ફરજીયાત છે.

કાંતણથી કમ્પ્યુટરનો અભ્યાસ કરાવતી ગૂજરાત વિદ્યાપીઠ

વિદ્યાપીઠમાં ગુજરાતના દરેક જીલ્લામાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અહીં રહેવા માટે છાત્રાલયની વ્યવસ્થા છે. અહીંના પુસ્તકાલયમાં અનેક પુસ્તકો અને સામાયિકો છે. જે વાંચક-રસિકોની ભૂખ સંતોષે છે. વિદ્યાપીઠમાં મોરારજી દેસાઈનું એક મ્યુઝિયમ અને આદિવાસી કલાનું એક મ્યુઝિયમ આવેલું છે. આમ, આજે પણ તમે ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે જાવ તો તમને ગાંધી વિચાર અને તેનું અમલીકરણ દેખાઈ આવે છે. અહીં ગાંધી વિચારનો ચુસ્તપણે અમલ કરતી વિદ્યાપીઠે ખરેખર સાચા અર્થમાં ગાંધી મૂલ્યોનું જતન કર્યું છે.

Intro:નોંધ- વિઝ્યુલ અને બાઈટ એફટીપી કર્યા છે.... વિડિયો પેકેજ સ્ટોરી છેઃ ભરત પંચાલ

અમદાવાદ- અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શોને શૈક્ષણિક જીવનમાં અનુસરીને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થા છે. મહાત્મા ગાંધીના આદર્શોથી આ સંસ્થા સ્થાપવામાં આવી હતી અને તેમના મૂલ્યોને વિદ્યાર્થી જીવનમાં ભણતર વડે ઉતારવાનું કામ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે. આવી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ હતી, તેને 99 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, ગુજરાત વિદ્યાપીઠનો અનેરો ઈતિહાસ રચાયો છે, આવો આપણે પણ તેના સાક્ષી બનીએ.... Body:ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૮ ઓક્ટોબર ૧૯૨૦માં ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી અને સૌપ્રથમ કુલપતિ પણ મહાત્મા ગાંધી જ હતા. ત્યારબાદ બીજા કુલપતિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજા કુલપતિ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદએ સેવા આપી હતી. મોરારજી દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના ચોથા કુલપતિ હતા. ત્યારબાદ અનેક મહાનુભાવોએ વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે સેવા આપી છે.

ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણની સાથે કેળવણીમાં પણ વધારે ઘ્યાન આપવામાં આવે છે. વ્યક્તિત્વના વિકાસની સાથે જીવન ઘડતર પણ સહજ પણે થાય છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથેસાથે આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ સૌ ખાદીનો ગણવેશ પહેરે છે. રોજ પ્રાર્થના કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને રેંટિયો કાંતવાનું શીખવવામાં આવે છે.

ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ અનામિક શાહે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠમાં ૧૭ અનુસ્નાતક અને ૧૨ સ્નાતક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે અને અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ મુખ્ય પ્રવાહ વળી યુનિવર્સીટીઓથી અલગ છે. અહીં વિદ્યાર્થીઓ પ્રાર્થના, સફાઈ કાર્યક્રમ, ભોજન બનાવવું વગેરે કાર્યો જાતે કરે છે અને ઉચ્ચશિક્ષણ ઉપરાંત ઉદ્યોગ, શરીરશ્રમ અને રમત-ગમત વગેરે કાર્યક્રમો વિદ્યાપીઠ દ્વારા શીખવવામાં આવે છે.

ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલયની વ્યવસ્થા છે અને ગ્રંથાલયમાં અનેક પુસ્તકો અને સામાયિકો અહીં ઉપસ્થિત છે. ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલયમાં મોરારજી દેસાઈના જીવનથી સંકળાયેલ અનેક વસ્તુઓ સાચવવામાં આવી છે અને મ્યુઝિયમમાં વિદ્યાપીઠનો ઇતિહાસ ફોટા દ્વારા સુંદર રીતે સાચવવામાં આવ્યા છે. Conclusion:
વિશ્વભરમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ નિમિતે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજીના વિચારો અને આદર્શોને વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ સાથે ઉતારી અનેરું યોગદાન છેલ્લા ૯૯ વર્ષથી આપે છે. આજે પણ ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે જાવ તો તમને ગાંધી વિચાર અને તેનું અમલીકરણ તેમજ સાદગી દેખાઈ આવે છે. ગાંધી વિચારનો ચુસ્તપણ અમલ કરતી વિદ્યાપીઠએ ખરેખર સાચા અર્થમાં ગાંધી મુલ્યનું જતન કર્યું છે.
કેમેરામેન મુકેશ ડોડિયા સાથે અમદાવાદથી સ્મીત ચૌહાણનો અહેવાલ
ઈ ટીવી ભારત
અમદાવાદ

byte 1 અનામિક શાહ, ઉપકુલપતિ, ગુજરાત વિદ્યાપીઠ
byte 2 શ્વેતા પટેલ, વિદ્યાર્થીની, ગુજરાત વિદ્યાપીઠ
byte 3 શૈલેષ બાલદાણિયા, વિદ્યાર્થી, ગુજરાત વિદ્યાપીઠ
Last Updated :Aug 21, 2019, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.