ગોવા ભાજપના પ્રવક્તાએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચારના કારણે તૂટ્યો પૂલ

author img

By

Published : Nov 2, 2022, 11:30 AM IST

Updated : Nov 2, 2022, 12:01 PM IST

ગોવા ભાજપના પ્રવક્તાએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચારના કારણે તૂટ્યો પૂલ

મોરબીમાં બ્રિજ તૂટવાના કારણે જે દુર્ઘટના ઘટી (Morbi Bridge Collapse) છે. તે અંગે સરકારને બચાવવા માટે ભાજપના પ્રવક્તા આગળ આવી રહ્યા છે. ત્યારે હવે ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે (Savio Rodrigues BJP Spokesperson) તો આ અંગે સરકાર પર પ્રહાર કર્યા છે. સાથે જ તેમણે ભ્રષ્ટાચારના કારણે પૂલ તૂટ્યો હોવાનું પણ જણાવ્યું હતું.

અમદાવાદ મોરબીમાં ઝૂલતો પૂલ (Morbi Bridge Collapse) તૂટવાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રવક્તાઓ (Savio Rodrigues BJP Spokesperson) રાજ્ય સરકારનો બચાવ કરવા આગળ આવી ગયા છે. તેવામાં હવે ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના કારણે જ મોરબીનો આ પૂલ તૂટી ગયો છે.

  • The tragedy of the Morbi bridge is horrific. There appears to be multiple layers of wrongdoings. If we do not have accountability it means we do not care for our people. The root of corruption leads to such unfortunate tragedy. 49 children lost their lives. Reportedly 134 dead.

    — Savio Rodrigues 🇮🇳 (@PrinceArihan) October 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રવિવારે બની દુર્ઘટના રાજ્યમાં રવિવારે રાત્રે મોરબીનો પૂલ (Morbi Bridge Collapse) તૂટી જવાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ અંગે ઘટનાના દોષીતો અને કારણ અંગે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. તેવામાં ગોવા ભાજપના પ્રવક્તા સેવિયો રોડ્રિક્સે (Savio Rodrigues BJP Spokesperson) ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની ઘટના (Morbi Bridge Collapse) ભયાનક છે. તેમાં અનેક ભૂલો છે. જો આપણે જવાબદારી ન લઈએ તો તેનો અર્થ એ થાય છે કે, આપણે આપણા લોકોની કાળજી લેતા જ નથી. એટલે આવા કમનસીબ અકસ્માતનું કારણ ભ્રષ્ટાચારનું મૂળ બની જાય છે.

  • No Tender for renovation work of Morbi Bridge. I asked a similar question to Goa government on a No Tendering Process for renovation work of Kala Academy at Rs 50 crore. I cannot fathom why this step to subvert ‘tendering process’ guideline. Oreva is not even in renovation works.

    — Savio Rodrigues 🇮🇳 (@PrinceArihan) October 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ પ્રવક્તાએ કર્યું ટ્વિટ ગોવા ભાજપના પ્રવક્તાએ (Savio Rodrigues BJP Spokesperson) કરેલા ટ્વિટ અંગે અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક યૂઝર્સે મોરબીની દુર્ઘટનાને ખૂબ (Morbi Bridge Collapse) જ દુઃખદ ગણાવી હતી. સાથે જ પૂલ પર આટલા લોકોને જવાની મંજૂરી કોણે આપી તે અંગે પ્રશ્ન ઊભો કર્યો હતો. મોરબી પૂલ તૂટવાના મામલે બે રાજ્યના પ્રવક્તાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક બાજુ ગુજરાત ભાજપના પ્રવક્તા સરકારનો બચાવ કરી રહ્યા છે તો બીજી ગોવાના ભાજપના પ્રવકતાએ ગુજરાત સરકાર પર માછલા ધોયા છે. ટ્વીટ કરીને તેમણે પોતાની જ સરકારને કઠેડા ઊભી કરી દીધી છે.

  • Gujarat | Search operation continues at the site in Machchhu River in Morbi where a bridge collapsed leaving 135 dead and injuring several

    "Search is on to trace the missing persons," says Rakesh Kumar, Assistant Commandant, NDRF pic.twitter.com/zujEL9Eznm

    — ANI (@ANI) November 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભ્રષ્ટાચારને કારણે ભંગાણઃ તેમનું એવું કહેવું છે કે, ભ્રષ્ટ્રાચારને કારણે આ પૂલ તૂટ્યો છે. તેમણે એવું કહ્યું કે, મોરબીની ઘટના ભયાનક છે અને ભ્રષ્ટાચારને કારણે પુલ તૂટી ગયો છે. આ ટ્વીટ પર અનેક એવા યુઝર્સે પોતાના વિચાર અનુસાર પ્રતિક્રિયા આપી દીધી છે.

Last Updated :Nov 2, 2022, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.