ETV Bharat / state

Russia Ukraine War : અનેક ફ્લાઈટ્સ ભારતના લોકોને યુક્રેનથી એરલીફ્ટ કરશે : રાજેન્દ્ર ત્રિવેદી

author img

By

Published : Feb 28, 2022, 7:37 AM IST

અમદાવાદમાં યુક્રેનથી (Russia Ukraine War) વતન પરત આવેલા વિદ્યાર્થીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે, હજુ આશરે 100 જેટલા ગુજરાતી (Rajendra Trivedi Talks about Gujarati Students) વિદ્યાર્થીઓ ત્યાં હોવાની સંભાવના છે.

Russia Ukraine War : ઘણી ફ્લાઈટો ભારતના લોકોને યુક્રેનથી એરલીફ્ટ કરશે : રાજેન્દ્ર ત્રિવેદી
Russia Ukraine War : ઘણી ફ્લાઈટો ભારતના લોકોને યુક્રેનથી એરલીફ્ટ કરશે : રાજેન્દ્ર ત્રિવેદી

અમદાવાદ : યુદ્ધગ્રસ્ત યુક્રેનથી કેન્દ્ર સરકાર દ્વારા એરલિફ્ટ કરાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને અમદાવાદના (Students from Ahmedabad in Ukraine) GMDC ઓડિટોરિયમ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમાર, મેયર કિરીટ પરમાર, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ETV Bharat સાથે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાર્થીઓના યુક્રેનથી (Russia Ukraine war) ઇવેકયુએશનને લઈને ખાસ વાત કરી હતી.

ઘણી ફ્લાઈટો ભારતના લોકોને યુક્રેનથી એરલીફ્ટ કરશે : રાજેન્દ્ર ત્રિવેદી

પ્રશ્ન : ભારત સરકારે મુસીબતમાં મુકાયેલ બીજા દેશોમાંથી ભારતીયોને એરલીફ્ટ કર્યા છે. આ પ્રસંગે આપ શું કહેશો ?

ઉતર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા છે. ભારતના નાગરિકોને વિદેશ મંત્રાલય સાથે મળીને ભારત લવાયા છે. જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. તેને એમ્બેસીએ (Update Russia Ukraine War) એકઠા કરવાનું કાર્ય કર્યું છે. હવે તે તમામ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક વતન લાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર તેમને એરપોર્ટથી વોલ્વો બસ દ્વારા તેમના ઘરના દરવાજા સુધી મુકવા જઈ રહી છે. આ તમામ પ્રક્રિયામાં તેમના ભોજનથી લઈને સગવડતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

પ્રશ્ન : હજી ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. તેમને કેટલા જલ્દી પરત લવાશે ?

ઉતર : આવા વિદ્યાર્થીઓના નામ અને નંબર છે. તેનું લોકેશન મળે એટલે અમે અધિકારીઓને સૂચના આપીએ છીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા બધી જ તપાસ કરીને ડિટેલ્સ મેળવાય છે. તેનો સંપર્ક કરવામાં આવે છે. ભારત યુક્રેન એમ્બેસીના સંપર્કમાં છે. રશિયન સૈનિકો ભારતીય વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હાની પહોંચાડી રહ્યા નથી.

આ પણ વાંચો : Indian Students Airlift From Ukraine: યુક્રેનથી મુંબઈ આવ્યા વિધાર્થીઓ, GSRTCની વોલ્વો બસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ

પ્રશ્ન : કેટલા ગુજરાતી વિધાર્થીઓ હજી યુક્રેનમાં હોવાનો અંદાજ છે ?

ઉતર : તે વિશેનો કોઈ અંદાજ નથી. પરંતુ આશરે હજી 100 જેટલા ગુજરાતી (Rajendra Trivedi Talks about Gujarati Students) વિદ્યાર્થીઓ ત્યાં હોઈ શકે.

પ્રશ્ન : યુક્રેન સેના ભારતીય વિદ્યાર્થીઓને બોર્ડર ક્રોસ કરતા રોકી રહી છે. આપ શું કહેશો ?

ઉતર : એ વિશે ખબર નથી. પણ આપણું વિદેશ મંત્રાલય સક્ષમ રીતે બીજા દેશો સાથે વિદ્યાર્થીઓને પ્રવેશને લઈને વાટાઘાટો કરી રહ્યું છે. એક દેશની બીજા દેશ સાથે શું વાત થઇ હોય તે વિદ્યાર્થીઓને ખબર ના હોય. પરંતુ અત્યારે યુક્રેનમાં યુદ્ધને લઈને આજુબાજુના દેશોની બોર્ડર બંધ કરાઈ છે. બીજા દેશમાં જનાર વ્યક્તિ કોણ છે ? તેની જાણકારી જરૂરી છે. નહીં તો તે મુસીબત બની શકે છે.

પ્રશ્ન : બીજી ફ્લાઈટ વિધાર્થીઓને એરલીફ્ટ (Gujarat Airlift from Ukraine) કરવા ક્યારે જશે ?

ઉતર : બીજી ઘણી ફ્લાઈટો જશે.

આ પણ વાંચોઃ Ukraine crisis : ઓપરેશન ગંગામાં પાકિસ્તાન તરફથી પણ મળી મદદ, સાંભળો એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સના અનુભવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.