ETV Bharat / state

રામ મંદિર પૂજારી વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરનારની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 7:06 PM IST

રામ મંદિર પૂજારી વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરનારની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી
રામ મંદિર પૂજારી વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરનારની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી

તાજેતરમાં રામ મંદિરના પૂજારી વિરુદ્ધ એક અશ્લીલ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ મુદ્દે વિવાદ વકરતા સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ. Ram Mandir Poojari Fake Post Viral One Arrested

વેજલપુરમાંથી પકડાયેલ હિતેન્દ્ર પીઠડીયા પોતાને કૉંગ્રેસ આગેવાન ગણાવે છે

અમદાવાદઃ રામ મંદિરના પૂજારી મોહિત પાંડે વિરુદ્ધ બદનામી ફેલાવતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ મુદ્દે વિવાદ વકર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સત્વરે આરોપીને ઝડપી લીધો છે. જો કે આરોપીને ઝડપી લીધા બાદ ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે. આરોપી પોતાની જાતને કૉંગ્રેસી નેતા ગણાવી રહ્યો છે.

પોલીસે ઝડપી લીધોઃ રામ મંદિરના પૂજારી મોહિત પાંડે વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ વાયરલ કરવાના ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી લીધી છે. આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જઈને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ હતી. જેમાં તેણે પોતે કૉંગ્રેસી નેતા હોવાનો ખુલાસો કર્યો હતો. આ ખુલાસા બાદ ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે. હિતેન્દ્ર પીઠડીયાએ રામ મંદિરના મુખ્ય પૂજારી તરીકે ઘોષિત થયેલા મોહિત પાંડેને બદનામ કરવા માટે આ એડિટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વાંધાજનક વીડિયો નીચે હિતેન્દ્રએ લખ્યું હતું કે આ રામ મંદિરના ઘોષિત થયેલા પૂજારી મોહિત પાંડે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વકર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શહેરના વેજલપુર વિસ્તારમાંથી આરોપી હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી હતી.

અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મોહિત પાંડે વિરુદ્ધ એડિટેડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ તેના પર ઈન્ડિયન પીનલ કોડની 469, 509, 295એ અને આઈટી એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પોતાને કૉંગ્રેસી નેતા ગણાવે છે અને તેણે પોલિટિકલ માઈલેજ મેળવવા માટે આ હરકત કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે...અજિત રાજીયન(DCP, સાયબર ક્રાઈમ, અમદાવાદ)

  1. અયોધ્યાના રામ મંદિરમાં પુજારી તરીકે મોહિત પાંડેની પસંદગી, દૂધેશ્વર વેદ વિધ્યાપીઠના રહી ચુક્યાં છે વિદ્યાર્થી
  2. અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.