ETV Bharat / state

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે હવે મેડિકલ સ્ટુડન્ટ્સ મેદાને ઉતરશે

author img

By

Published : Aug 26, 2020, 4:13 PM IST

etv bharat
કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે હવે મેડિકલ સ્ટુડન્ટ્સને મેદાનમાં ઉતારવામાં આવશે.

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. પરંતુ સંક્રમણ ન ફેલાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. મંગળવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસમાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, આઈએએસના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર આઈએએસ, જુદા જુદા ઝોનના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનરો, ડેપ્યૂટી કમિશનર હેલ્થની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ તથા નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ઈન્ટર્નની સેવાઓ કોરાના સામેના જંગમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ : મંગળવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસમાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, આઈએએસના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આઈએએસ, જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યૂટી કમિશનર હેલ્થની ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ તથા નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ઈન્ટર્નની સેવાઓ કોરાના સામેના જંગમાં લેવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં શહેરમાં આવેલી મેડિકલ, ડેન્ટલ, નર્સીંગ કોલેજના ઈન્ટર્નના તેમજ વિદ્યાર્થીઓની સેવાઓ, ફિલ્ડ સર્વેલન્સ, સુપરવિઝન, સંક્રમણને અટકાવવા તથા નિયંત્રણ માટેના પગલા, ટેસ્ટીંગ, મનોચિકિત્સક તથા સામાજિક સંભાળ, નર્સીંગ આસીસ્ટન્ટ તરીકે તથા લક્ષણો ન ધરાવતા હોય તેવા ક્વોરેન્ટાઇન કરેલા કોરોના દર્દીઓની તપાસ, લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ તેમજ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સંભાળ માટે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

etv bharat
કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે હવે મેડિકલ સ્ટુડન્ટ્સને મેદાનમાં ઉતારવામાં આવશે.
આ સેવાઓ માટે વિદ્યાર્થિઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચથી છ દિવસની તાલીમ પૂરી પાડવાની રહેશે. તેમજ કોર્પોરેશનના મંતવ્ય મુજબ અને જે તે સમયે જરૂરી હોય તે મુજબ આવી સેવાઓમાં જરૂરી સુધારા વધારા અને ફેરફાર કરાશે. આ સંપાદિત સેવાઓ સંબંધિત મેડિકલ, ડેન્ટલ, નર્સીંગ કોલેજના નિયમિત વર્ગો શરૂ થાય તેને આધિન રહેશે. જો કોઈ વિદ્યાર્થિ મધુપ્રમેહ, હૃદયની બિમારી જેવા રોગોથી પીડાતા હોય તો તેવા વિદ્યાર્થિઓને મુક્તિ આપવામાં આવશે. પરંતુ આ માટે જે તે વિદ્યાર્થિએ એસવીપી હોસ્પિટલ તેમજ વીએસ હોસ્પિટલના તબીબોની પેનલ દ્વારા પરિક્ષણમાંથી પસાર થવાનું રહેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.