ETV Bharat / state

રાજ્યમાં વધતા જતા વાયુ પ્રદૂષણને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર

author img

By

Published : Jan 21, 2020, 7:24 PM IST

air pollution news in gujarati
air pollution news in gujarati

અમદાવાદઃ રાજ્યમાં વાયુ પ્રદૂષણ મામલે હાઈકોર્ટે આપેલા ચૂકાદાને કોંગ્રેસે આવકાર્યો છે. પરંતુ સાથે-સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે. સરકારની નીતિઓને કારણે રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 2017 સુધીમાં 9,75,349 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 11 ટકા જંગલ વિસ્તાર છે. સરકાર વૃક્ષોનું છેદન કરી રહી છે જેના કારણે 5 વર્ષમાં જ 309 ચોરસ કિમી વન વિસ્તારમાં ઘટાડો થયો છે. ગુજરાતના નાગરિકોને અસ્થમા, ફેફસાનું કેન્સર, યાદશક્તિ ઘટવી, લકવા, માનસિક તણાવ, ઓછા વજનના બાળકનો જન્મ, હૃદયની બીમારી સહિતના મોટા રોગો પ્રદૂષણના કારણે જ થાય છે.

જ્યમાં વધતા જતા પ્રદુષણને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર

દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, વાયુ પ્રદૂષણના કારણે 1.2મિલિયન જેટલા લોકોના મૃત્યુ થયા છે. લોકસભામાં ચર્ચા થઇ હતી કે, અમદાવાદ શહેરમાં સૌથી પ્રદૂષણ છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, વાપી, અંકલેશ્વર સૌથી પ્રદૂષણવાળા શહેર છે. ક્રિટિકલ પોલ્યૂટેડ વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત સહિતની જીઆઇડીસી છે. સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ.

Intro:અમદાવાદ- રાજ્યમાં વાયુ પ્રદુષણ મામલે હાઈકોર્ટે આપેલા ચુકાદાને કોંગ્રેસે આવકર્યો છે પરંતુ સાથે સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે.રાજ્યમાં પ્રદુષણ સરકારની નીતિઓને કારણે જ વધી રહી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો..Body:કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે 2017 સુધીમાં 975349 જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં 11 ટકા જંગલ વિસ્તાર છે.સરકાર વૃક્ષોનું છેદન કરી રહી છે જેના કારણે 5 વર્ષમાં જ 309 ચોરસ કિમિ વન વિસ્તારમાં ઘટાડો થયો છે.ગુજરાતના નાગરિકોને અસ્થમા ફેફસાનું કેન્સર, યાદશક્તિ ઘટવી,લકવા,માનસિક તણાવ,ઓછા વજનના બાળકનો જન્મ,હૃદયની બીમારી સહિતના મોટા રોગો પ્રદુષણના કારણે જ થાય છે.


દોશીએ વધુમાં જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણના કારણે 1.2મિલિયન જેટલા લોકોના મૃત્યુ થયા છે.લોકસભામાં અમદાવાદ સૌથી પ્રદુષણવાળું શહેર છે.ગુજરાતના અમદાવાદ,વડોદરા,વાપી,અંકલેશવર સૌથી પ્રદૂષણવાળા શહેર છે.ક્રિટિકલ પોલ્યુટેડ વડોદરા,અંકલેશ્વર,વાપી,સુરત સહિતની જીઆઇડીસી છે..સરકારે આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ..

બાઈટ- મનીષ દોશી પ્રદેશ પ્રવક્તા- કોંગ્રેસConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.