સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા "મહાત્માની પરિક્રમા" ગ્રંથનું લોકાર્પણ

author img

By

Published : Oct 1, 2019, 11:21 PM IST

અમદાવાદઃ આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતિની ધુમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતા અને મુખ્ય વક્તા સંજય પ્રસાદની હાજરીમાં 'મહાત્માની પરિક્રમા' ગ્રંથનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

વર્ષ 1915માં મહાત્મા ગાંધીનું હિન્દુ પ્રત્યાગમન યુગ પરિવર્તિક ઘટના છે. ગાંધીજીએ હિંદ દર્શન અને લોક કલ્યાણની ભાવનાથી 34,361 કિલોમીટરની પૂજ્ય ભાવિ પરિક્રમા કરી હતી. જેનું ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી વિશ્લેષણ કરી ઈતિહાસ ડોક્ટર રિઝવાન કાદરીએ સર્જન કર્યું હતું. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સ્થળ એટલે કે, ભદ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા બનાવવાની મહત્વની ભૂમિકા ભજવનારા મહાનુભાવોના વંશજો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા "મહાત્માની પરિક્રમા" ગ્રંથનું લોકાર્પણ
Intro:અમદાવાદ:

બાઈટ: રિઝવાન કાદરી

મહાત્મા ગાંધીની 150મી જયંતિ ના ઉજવણી ના ભાગરૂપે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ની અધ્યક્ષતા માં તેમજ મુખ્ય વક્તા માં સંજય પ્રસાદ આઈએએસ મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત રાજ્ય ની ઉપસ્થિતિમાં મહાત્માની પરિક્રમા ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ એ યોજાયો.


Body:1915માં મહાત્મા ગાંધી નું હિન્દુ પ્રત્યાગમન યુગ પરિવર્તિક ઘટના છે. ગાંધીજીએ હિંદદર્શન અને લોક કલ્યાણની ભાવનાથી 34361 કિલોમીટરની પૂજ્ય ભાવિ પરિક્રમા કરી હતી તેનું ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરી ઇતિહાસ ડોક્ટર રિઝવાન કાદરી એ સર્જન કર્યું. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ માં સ્થળ એટલે ભદ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વિશેષમાં એમ કે ગાંધીને મહાત્મા બનાવવાની મહત્વની ભૂમિકા ભજવનાર મહાનુભાવોના વંશજો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી એ મહારાજે આ પ્રસંગે ટ્રાફિક નિયમો અને સ્વચ્છતા અંગે પણ અનુરોધ કર્યો હતો.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.