Ahmedabad Municipal Corporation: કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ નહિ યોજાય "કાંકરિયા કાર્નિવલ"

author img

By

Published : Dec 1, 2021, 8:00 PM IST

Updated : Dec 1, 2021, 10:41 PM IST

Amdavad Municipal Corpoation: કોરોના મહામારીને લઈ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં નહિ યોજાય કાંકરિયા કાર્નિવલ

અમદાવાદ શહેરની ઓળખ સમાન કાંકરિયા કાર્નિવલ (Kankaria Carnival similar to Ahmedabad city identity) આ વર્ષે પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વેરીએન્ટ 'ઓમીક્રોન' (New Variant of Omicron) અને કોરોના મહામારી વધુ ન ફેલાઈ તેના સાવચેતીના ભાગરૂપે થઈ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો આવ્યો છે.

  • અમદાવાદ શહેરમાં આ વર્ષે નહિ યોજાય કાંકરિયા કાર્નિવલ
  • કોરોના મહામારીને ધ્યાને લઇ AMCનો મહત્વનો નિર્ણય
  • કાંકરિયા કાર્નિવલના 5 દિવસીય આયોજનમાં લાખો લોકો થતા હતા એકઠા

અમદાવાદ: શહેરમાં કાંકરિયાનું નામ આવતા જ કાર્નિવલની યાદ આવી જાય છે, પરંતુ એક વર્ષથી અમદાવાદ અને ગુજરાત રાજ્યના નાગરિક કોરોનાના કારણે ઘરમાં કંટાળીને બેઠા હતા. જેઓ માટે મન પ્રફુલ્લિત કરવા માટે થઈ કાંકરિયા કાર્નિવલની રાહ જોતા હતા, પરંતુ કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનને ધ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન નહિ કરવાનો નિર્ણય (Take Decision Of not to organize Kankaria Carnival) લેવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા બાદ ફરી કોરોના વકરે, તેને ધ્યાને લઇ. હાલ AMC (Ahmedabad Municipal Corporation) કોઈ પણ બેદરકારી રાખવા માંગી રહ્યું નથી..

કોરોના જેવો ઘાતક પુરવાર થયેલો વાઇરસ ફરી ફૂંફાડા મારી રહ્યો છે
જોકે કોરોના મહામારીની પહેલાની વાત જુદી હતી. તે વખતે લોકોની ભીડભાડથી લેશમાત્ર ચિંતાનું કારણ નહોતું ફક્ત કાંકરિયા કાર્નિવલમાં લાખો સહેલાણીઓએ ખિસ્સાકાતરુઓથી સાચવવું પડતું હતું. તેમજ નાનાં ભૂલકાં માતા પિતા, પરિવારથી છૂટાં ન પડી જાય તે જોવું પડતું હતું. જોકે હવે કોરોના જેવો ઘાતક પુરવાર થયેલો વાઇરસ ફરી ફૂંફાડા મારી રહ્યો હોઈ,તેવામાં તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલને મોકૂફ રાખવાનો નિર્ણય લોવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો લોકોએ ભાન ભૂલીને ઊજવ્યા હતા. તેના કારણે સ્વાભાવિકપણે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે આ નવા કેસ ડેલ્ટા વેરિઅન્ટના છે, જ્યારે અત્યારે સમગ્ર વિશ્વ અને ભારત સમક્ષ કોરોના વાઇરસના વધુ ઘાતક એવા ઓમિક્રોનનો ભારે ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારજનો માટે સારા સમાચાર, અમદાવાદ કલેક્ટરે જાહેર કરી સહાય માર્ગદર્શિકા

AMCના સત્તાવાળાઓમાં પણ ભીતરથી ઓમિક્રોનનો ફફડાટ

જોકે ઓમિક્રોન શહેરમાં હાહાકાર ફેલાવશે કે કેમ તે અંગે તબીબી જગતમાં એકમત નથી, પરંતુ મોટા ભાગના તબીબો ઓમિક્રોન સામે વેક્સિનના ડબલ ડોઝને એકમાત્ર અસરકારક માને છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Municipal Corporation) સત્તાવાળાઓમાં પણ ભીતરથી ઓમિક્રોનનો ફફડાટ તો છે જ, એટલે આગામી તા. 31 ડિસેમ્બર 2021 સુધીમાં બાકીના 7.40 લાખ લોકોને વેક્સિનનો સેકન્ડ ડોઝ આપી દેવા કમર કસી છે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ -19થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી

31 ડિસેમ્બર સુધીમાં 100% લક્ષ્યાંક મેળવવા AMC તંત્ર રઘવાયું

ગઈકાલે વેક્સિનેશન મહાઅભિયાનને પ્રોત્સાહન આપવા AMC (Ahmedabad Municipal Corporation) સત્તાવાળાઓએ આજથી તા 07 ડિસેમ્બર સુધીમાં વેક્સિનનો સેકન્ડ ડોઝ લેનારા નાગરિકોનો ડ્રો કરીને વિજેતાને ખાસ આઇફોન ભેટ આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત નાગરિકો પર વધુ પ્રતિબંધ મુકાયા છે. નાગરિકો પર વધુ ને વધુ પ્રતિબંધ મૂકીને સેકન્ડ ડોઝમાં તા 31 ડિસેમ્બર સુધીમાં 100 ટકા લક્ષ્યાંક મેળવવા તંત્ર થોડુંક રઘવાયું બન્યું છે, તો તેની પાછળનું મુખ્ય કારણ ઓમિક્રોન જ છે.. સદનસીબે હજુ સુધી અમદાવાદમાં ઓમિક્રોન વેરિઅન્ટનો એકપણ કેસ નોંધાયો નથી. તેમ છતાં તંત્ર ઓમિક્રોન સામે સતર્ક થયું છે.

Last Updated :Dec 1, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.