ETV Bharat / state

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો મહત્વનો નિર્ણય, સોમવારના રોજ સાંજના OPD શરૂ

author img

By

Published : Sep 4, 2021, 1:47 PM IST

કોવિડ-19ની પરિસ્થિતિ કાબુમાં હોવાથી સિવિલ હોસ્પિટલનો મહત્વનો નિર્ણય, સોમવાર સાંજથી શરૂ થઈ જશે OPD વોર્ડ
કોવિડ-19ની પરિસ્થિતિ કાબુમાં હોવાથી સિવિલ હોસ્પિટલનો મહત્વનો નિર્ણય, સોમવાર સાંજથી શરૂ થઈ જશે OPD વોર્ડ

કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • કોવિડ19ની પરિસ્થિતિ કાબુમાં હોવાથી સિવિલનો મહત્વનો નિર્ણય
  • સિવિલમાં સવાર અને હવે સાંજે બન્ને ટાઈમ કાર્યરત રહેશે OPD
  • દરવર્ષે અંદાજે 10 લાખથી વધુ લોકો OPDમાં લઇ રહ્યા છે સારવાર

અમદાવાદ: કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા સિવિલ હોસ્પિટલનો અગત્યનો નિર્ણય લીધો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. OPDમાં દર વર્ષે 10 લાખથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે 9 થી 1 વાગ્યાની ઓપીડી દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે કાર્યરત હતી. જે હવેથી બપોરે 2 થી 4 દરમિયાન પણ દર્દીઓની સારવાર અર્થે કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ

કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા અમદાવાદ સીવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે જન હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. દર્દીઓની સારવાર માટે હવે સવારની ઓ.પી.ડી.ની સાથે સાથે સાંજની ઓપીડી પણ સોમવારથી બપોરે 2 થી 4 કલાકે પૂર્વવત કાર્યરત કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બાદ 3 તબીબ હેડે પણ આપ્યાં રાજીનામા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવ્યું

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવ્યું છે કે "અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે ઓ.પી.ડી.ની મુલાકાત લેતા હોય છે. અમારા ત્યાં દર મહિને અંદાજે 90 હજારથી વધુ OPD ની સંખ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે સવારે 9 થી 1 અને બપોરે 2 થી 4ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત રહે છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે. જે રાજ્ય અને રાજ્ય બહારથી આવતા દર્દીઓની દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરશે તેવું તેમણે ઉમેર્યું હતુ.

કોવિડ-19માં અનેક લોકો થયા હતા હેરાન પરેશાન

વિશ્વભરમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી છે. સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા, ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશભરમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રૃષામાં હોઈ અને કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો હતો.

સોમવારથી સિવિલમાં સાંજની OPD શરૂ

સોમવારથી સિવિલમાં સાંજની OPD કાર્યરત થઈ જેને ધ્યાને લઇને સોમવારથી અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સંધ્યા ઓ.પી.ડી. ફરી વખત શરૂ કરવામાં આવી રહી છે. દર્દીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારના રોગોની સંધ્યા ઓ.પી.ડી દર્દીઓને લાભદાયક નીવડશે. તેવું હોસ્પિટલ તંત્રનું માનવું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.