ETV Bharat / state

પિતાથી જીવના જોખમના આક્ષેપ સામે હાઈકોર્ટે કહ્યું -'બંને દિકરીઓને હાજર તો થવું જ પડશે'

author img

By

Published : Dec 10, 2019, 7:55 PM IST

હાઈકોર્ટે કહ્યું બંને દિકરીઓને હાજર તો થવું જ પડશે
હાઈકોર્ટે કહ્યું બંને દિકરીઓને હાજર તો થવું જ પડશે

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે મંગળવારે જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના વકીલ કોર્ટમાં દલીલ કરી હતી કે, બંને દિકરીઓને પોતાના પિતાથી જીવનો ખતરો હોવાથી હાજર થતી નથી. જેની સામે કોર્ટે કહ્યું કે, અમે બંનેને સુરક્ષા આપી રહ્યાં છે, ત્યારે બંને દિકરીઓને 20મી નવેમ્બર સુધીમાં રજૂ કરવામાં આવે.

નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, બંનેને પિતાથી જીવનો જોખમ છે, તેથી તેઓ અહીં આવવા માગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે, અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહીં, પરંતુ જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે, ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે, બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે, બંને દિકરીઓને અહીં લાવવા મુદ્દે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસની એક્શન ટેકન રિપોર્ટ સીલ કવરમાં રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે.

પિતાથી જીવના જોખમના આક્ષેપ સામે હાઈકોર્ટે કહ્યું બંને દિકરીઓને હાજર તો થવું જ પડશે

ઉલ્લેખનીય છે કે, 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજુ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

Intro:નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટેૈ પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ મુદે મંગળવારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાક્કરની ખંડપીઠ સમક્ષ બંને દિકરીઓના વકીલ કોર્ટમાં દલીલ કરી હતી કે બંને દિકરીઓને પોતાના પિતાથી જીવનો ખતરો હોવાથી હાજર થતી નથી જેની સામે કોર્ટે કહ્યું કે અમે બંનેને સુરક્ષા આપી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓને 20મી નવેમ્બર સુધીમાં રજુ કરવામાં આવે. Body:બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનો જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે બંને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે બંને દિકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસની એક્શન ટેકન રિપોર્ટ સીલ કવરમાં રાખવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. Conclusion:ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના રોજ બંને દિકરીઓ તરફે રજુ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દિકરીઓને રજુ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામાં બંને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી. 

બાઈટ - એસ.આર સરાડા, ડીવાયએસપી, અમદાવાદ ગ્રામ્ય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.