ETV Bharat / state

સુરતના વરાછા બેઠક પર ભાજપના 'કુમાર'ની 16,754 લીડથી જીત

author img

By

Published : Dec 6, 2022, 3:56 PM IST

Updated : Dec 8, 2022, 4:31 PM IST

સુરતના વરાછા બેઠક પર ભાજપના 'કુમાર'ની 16,754 લીડથી જીત
સુરતના વરાછા બેઠક પર ભાજપના 'કુમાર'ની 16,754 લીડથી જીત

સુરતમાં વરાછા વિધાનસભા બેઠક (Varachha Assembly Seat) પરથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીનો વિજય થયો છે. 32,163 મતથી આગળ છે. અહીં 13 રાઉન્ડ સુધીની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. તો કૉંગ્રેસે અહીંથી અનુભવી અને આમ આદમી પાર્ટીએ નવા નેતાને મેદાને ઉતાર્યા છે. હવે અહીં કોણ (Gujarat Election 2022) જીતશે તે આજે સ્પષ્ટ થઈ જશે.

અમદાવાદ સુરતની વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીની જીત થઈ છે. તેઓ 17મા રાઉન્ડના અંતે 16,754 મતની લીડથી જીત્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરીયાને 50,031 મત મળ્યા હતા. ભાજપે આ વખતે અહીંથી અનુભવી, 2 ટર્મના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન એવા કિશોર કાનાણીને (Kishor Kanani Varachha Assembly Seat )ફરી રિપીટ કર્યા હતા. જ્યારે કૉંગ્રેસે 12 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા અને આમ આદમી પાર્ટીએ નવા નેતા પર વિશ્વાસ મુક્યો છે.

કાંટાની ટક્કર સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં (Surat Corporation Election) આમ આદમી પાર્ટીએ 120 સીટમાંથી 27 સીટ પર જીત મેળવી હતી. ત્યારે આ પાર્ટી માટે સુરત એપી સેન્ટર બની ગયું છે. એટલે આ વખતે આમ આદમી પાર્ટી અહીં પગપેસારો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેવામાં ભાજપે પોતાના પીઢ નેતા, કૉંગ્રેસે પ્રફૂલ તોગડિયાને મેદાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયાને મેદાને ઉતાર્યા છે. આ તમામની વચ્ચે ભાજપના ઉમેદવારને જીતવું મુશ્કેલ (Surat Kishor Kanani Win) બનશે અને કાંટાની ટક્કર જોવા (Surat Kishor Kanani Lose ) મળશે.

ક્યાં કેટલું મતદાન સુરતમાં કુલ 16 બેઠકો આવેલી છે. ક્યાં કેટલું મતદાન (Low turnout in Surat) થયું તેની પર એક નજર (Low Polling in Surat for Gujarat Election) કરીએ તો, બારડોલીમાં 66.07 ટકા, રાજ્યમાં સૌથી મોટો મતવિસ્તાર ધરાવતી ચોર્યાસી બેઠક પર 56.86 ટકા, કામરેજમાં 60.28 ટકા, કારંજમાં 50.54 ટકા, કતારગામમાં 64.08 ટકા, લિંબાયતમાં 58.52 ટકા, મહુવામાં 73.73 ટકા, મજુરામાં 58.07 ટકા, માંડવીમાં 76.02 ટકા, માંગરોળમાં 74.09 ટકા, ઓલપાડમાં 64.65 ટકા, સુરત પૂર્વમાં 64.80 ટકા, સુરત ઉત્તરમાં 59.24 ટકા, સુરત પશ્ચિમમાં 62.92 ટકા, ઉધનામાં 55.69 ટકા, વરાછા રોડમાં 56.38 ટકા મતદાન થયું હતું.

જ્ઞાતિનું સમીકરણ વરાછા વિધાનસભા બેઠક (Varachha Assembly Seat) પર જાતિ સમીકરણ વરાછા વિધાનસભા બેઠક ( Varachha Assembly Seat) ઉપર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો પાટીદાર મતદારોની સંખ્યા ખૂબ જ વધુ જોવા મળી રહી છે. એટલે કે આ બેઠક ઉપર પટેલ, પાટીદાર પટેલ, પ્રજાપતિ સમાજ, અને સૌરાષ્ટ્ર- ભાવનગરના ગઢવી સમાજ વધુ રહે છે.

અગાઉની ચૂંટણીના પરિણામ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો, ભાજપે કુમાર કાનાણી (Kishor Kanani Varachha Assembly Seat)ને મેદાનમાં ઉતાર્યા હતાં અને કૉંગ્રેસે ધીરૂભાઈ ગજેરાને મેદાનમાં ઉતાર્યા હતાં. તે સમયે વરાછા વિધાનસભા બેઠક (Varachha Assembly Seat) ઉપર કુલ 1,27,420 મત મળ્યા હતા. તેમાંથી ભાજપના કુમાર કાનાણીને 68,529 મત મળ્યા હતાં તો કૉંગ્રેસના ધીરુભાઈ ગજેરાને 48,170 મત મળ્યા હતા. એટલે કે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા વિધાનસભા બેઠક ઉપરથી કુમાર કાનાણી વિજય થયાં હતા. 2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર ભાજપે ફરીથી કુમાર કાનાણીને મેદાનમાં ઉતાર્યા (Low turnout in Surat) હતાં. ત્યારે કોંગ્રેસે પણ ધીરુભાઈ ગજેરાને મેદાનમાં ઉતાર્યા હતા.

પાટીદાર આંદોલનના કારણે કૉંગ્રેસને થયો હતો ફાયદો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું હતું. આ બેઠક ઉપર પાટીદારોનો પણ ખૂબ જ વિરોધ જોવા મળ્યો હતો.આ બેઠક ઉપર એ સમયે કુલ 1.25.191 મત મળ્યા હતાં. તેમાંથી ભાજપના કુમાર કાનાણીને 67,472 મત મળ્યા હતાં ત્યારે કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાને 54,474 મત મળ્યા હતાં. એટલેકે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા વિધાનસભાની બેઠક ઉપરથી કુમાર કાનાણી વિજયી થયાં હતાં.

Last Updated :Dec 8, 2022, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.