ETV Bharat / state

World Cup 2023: પૂર્વ વિકેટ કિપર નયન મોંગીયાનો ઇટીવી ભારત એક્સલ્યુઝિવ ઇન્ટરવ્યું, જાણો ભારતીય ટીમ વિશે શું કહ્યું..

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 5:36 PM IST

Etv Bharat
Etv Bharat

ભારત 2023નો વર્લ્ડકપ જીતવાનો પ્રબળ દાવેદાર છે, કારણ ભારતીય ટીમ હાલ તેની ધરતી પર રમી રહ્યું છે આ શબ્દો છે ભૂતપૂર્વ વિકેટકીપર નયન મોંગીયાના. જાણો શું કહ્યું...

અમદાવાદ: ICC વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે, ત્યારે 1996 અને 1999 એમ બે વિશ્વકપ રમી ચૂકેલા નયન મોંગીયાએ ETV BHARAT સાથે વર્લ્ડ કપ-2023 અંગેના એક્સલ્યુઝિવ ઇન્ટરવ્યુમાં ભારત વિશ્વકપ વિજેતા થશે એવો આત્મ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, ભારતીય ટીમ અન્ય ટીમો કરતાં વધુ બેલેન્સ ટિમ સિલેક્ટરો દ્વારા પસંદ કરાઈ છે. ભારતીય ટીમના પૂર્વ વિકેટ કિપર નયન મોંગીયા સાથે થયેલ સંવાદ રસપ્રદ છે....તો જાણીએ વર્લ્ડ કપ-2023 માટે નયન મોંગીયા શું માને છે.

ભારતીય ટીમ ફોર્મમાં છે અને બેલેન્સ ટીમ છે: વર્લ્ડ કપ-2023 માટે પસંદ થયેલ ભારતીય ટીમને વિજેતા થવા માટે ખૂબ સારા ચાન્સ છે આ વર્લ્ડ કપ ફક્ત ભારતમાં જ રમાવાનો છે, પાકિસ્તાન કે શ્રીલંકામાં વિશ્વકપની કોઇ મેચ નથી. વર્લ્ડ કપ માટે પસંદ થયેલ ટીમ એક્સપિરિયન્સ અને ટેલેન્ટેડ છે, જે ભારતીય પીચ પર ભારતીય દર્શકો સામે રમશે એ ટીમ માટે વઘારાનો એડવાન્ટેજ રહેશે.

ભારત પાસે સ્પિનરોની ત્રિપુટી: ભારતીય પીચ પર સ્પીનરોને અનુકૂળ હોય છે. વર્લ્ડ કપ-2023 માટે લેફ્ટ હેન્ડર અક્ષર પટેલ ઇજાગ્રસ્ત બનતા ઓફ સ્પિનર આર. અશ્વિનની પસંદગી અંગે નયન મોંગીયાએ કહ્યું કે, આર. અશ્વિન પાસે વન-ડે મેચનો અનુભવ છે. કમનસીબે અક્ષર પટેલ વર્લ્ડ કપ પહેલાં ઇજાગ્રસ્ત થયા પણ હાલ વર્લ્ડ કપ-2023ની ટીમમાં ભારત પાસે સ્પિનરોની ત્રિપુટી છે, જેમાં કુલદિપ યાદવ, આર. અશ્વિન પાસે અનુભવ અને રવિન્દ્ર જાડેજા તેના સ્લો બોલથી હરીફ ટીમને કાબુમાં રાખી શકે એમ છે.

મજબુત બેટિંગ અને બોલિંગ લાઈનઅપ: ભારતીય ટીમના 15 સભ્યો પાસે પોતાની આગવી ખૂબી છે, જેના કારણે જ તેઓ વર્લ્ડ કપ ટીમ માટે પસંદ થયા છે. ટીમમાં આક્રમક બેટિંગ, ઓલરાઉન્ડર, પેસ બોલર છે, એમ કહી નયેન મોંગીયાએ ભારતીય ટીમે એક -એક મેચ પર ફોકસ કરીને ટૂર્નામેન્ટમાં આગળ વઘવા પર ભાર મૂક્યો હતો. જેના કારણે ટીમ પર ટૂર્નામેન્ટ જીતવાનું સીધુ જ પ્રેશર ન આવે.

ઇશાન કિશન વિકેટ કીપર તરીકે પહેલી પસંદ: ભારતીય ટીમ હાલ કે.એલ. રાહુલ અને ઇશાન કિશન એમ બે વિકેટ કિપર સાથે વર્લ્ડ કપ-2023 રમવા ઉતરી છે તો એ બન્ને માંથી કોને વિકેટ કિપર ની જવાબદારી સોંપી શકાય એ પ્રશ્નમાં નયન મોંગીયાએ સ્પષ્ટ કહ્યું કે, ટૂર્નામેન્ટમાં રેગ્યુલર વિકેટ કિપર હોવો જોઈએ. મારી ચોઇસ ઇશાન કિશન છે. રેગ્યુલર વિકેટ કીપર હોય તો બોલરને વધુ કોન્ફિડન્સ રહેતો હોય છે. ઇશાન કિશન સારો લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં આપણી પાસે કે.એલ. રાહુલ જેવો બેટ્સમેન વિકેટ કીપર સાથે હોય તો આકસ્મિક સંજોગોમાં ઉપયોગી સાબિત થઇ શકે છે.

ભારત માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી: છેલ્લાં એક દાયકાથી ભારતે કોઇ મોટી ટ્રોફી જીત્યું નથી પણ ભારતનો દેખાવ સતત સારો રહ્યો છે એમ કહીને નયન મોંગીયાએ 2023 માટે ભારત પ્રબળ દાવેદાર છે એમ કહેતા ઉમેર્યુ કે, ભારતીય એમ્બિયન્સ, ભારતીય પીચ, ભારતીય દર્શકો સામે ભારતીય ટીમે પોતાની વેધર કન્ડિશનમાં રમવાની છે. સાથે ભારતીય ખેલાડીઓ ફોર્મમાં છે.

ભારત-પાકિસ્તાન વિશે શું કહ્યું: ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14, ઓક્ટોબરના રોજ છે. જેને ટુર્નામેન્ટની હાઇ વોલ્ટેજ મેચ તરીકે ઓળખવામાં આવે છે તો આ મેચને ભારતીય ટીમ કેવી રીતે લેશે એ પ્રશ્નના જવાબમાં નયન મોંગીયાએ કહ્યું, ટૂર્નામેન્ટની આ એક મેચ છે. ખેલાડીઓ એક જ મેચને ફોકસ કરતાં ન હોય. ખેલાડીઓ આખી ટુર્નામેન્ટને ફોકસ કરતા હોય છે. આ ક્રિકેટ મેચ છે, તેને ટુર્નામેન્ટની એક મેચ તરીકે જ લેવી જોઇએ.

ઋતુરાજ અને સંજુ સેમસન વિશે શું કહ્યું: ભારતીય ટીમાં વર્લ્ડ કપ-2023 માટે જે નામો લોકમુખે હતા એમાં સૌથી મોખરે ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન હતા. તેઓ ટીમનો હિસ્સો નથી એ પ્રશ્નના જવાબમાં નયન મોંગીયા એ કહ્યું કે, આ ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન બંને ક્વોલિટી પ્લેયર છે, તેઓ પાસે હજી લાંબો સમય છે, બસ આ વખતે બસ ચૂકી ગયા છે.

દેશમાં રમાતા વર્લ્ડ કપને લઈને એક્સાઇટેડ: સતત ક્રિકેટ રમતી ભારતીય ટીમ વર્લ્ડ કપ-2023 માટે શું ભાર અનુભવશે તો તેના જવાબનો પ્રત્યુત્તર આપતા નયન મોંગીયાએ જણાવ્યું કે, વર્લ્ડ કપ-2023ની મેચો વચ્ચે ખાસ્સો ગેપ છે, જેનાથી ખેલાડીઓ ઉપર કોઈ વધારાનો બોજા નહીં આવે. ખેલાડીઓને પુરતો રેસ્ટ મળી રહેશે. વેધર પણ ઓક્ટોબર-નવેમ્બરમાં સારું હોય છે એટલે ખેલાડીઓ પોતાના દેશમાં રમાતા વર્લ્ડ કપને લઈને એક્સાઇટેડ હશે, જેનાથી તેઓ ઓવર લોડેડ ફીલ નહીં કરે.

નયન મોંગીયાને આત્મ વિશ્વાસ: પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન નયન મોંગીયાને ભારત વર્લ્ડ કપ-2023 જીતશે એ માટે આત્મ વિશ્વાસ છે. ભારતીય ટીમની તૈયારીઓ અને અનુભવ વિજેતા બનાવવા માટે ઉપયોગી સાબિત થશે એવો તેમનો મત છે.

આ પણ વાંચો:

  1. World Cup 2023:શું ઓસ્ટ્રેલિયા છઠ્ઠું ટાઇટલ જીતશે? જાણો ટીમનું મજબૂત પાસુ અને નબળાઈ વિશે
  2. World Cup 2023 : દેશમાં પહેલી આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 42 વર્ષ પહેલા રમાઇ હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.