ETV Bharat / state

મહારાષ્ટ્રની રાજનીતિ પર ગુજરાત કૉંગ્રેસના ભાજપ પર શાબ્દિક પ્રહાર

author img

By

Published : Nov 23, 2019, 8:40 PM IST

etv bharat

અમદાવાદ : મહારાષ્ટ્રમાં રાતોરાત થયેલાં પરિવર્તનના કારણે સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. જેના પગલે ગુજરાત કૉંગ્રેસ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી રહ્યું છે. તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા પાઠવી રહ્યું છે. આમ, રાજકારણમાં પોતાનો સિક્કો જમાવવા માટે કૉંગ્રેસ મરણીયા પ્રયાસ કરતું જોવા મળી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર નૈતિકતાને નેવે મૂકીને રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. દોશીએ કહ્યું હતું કે, "મહારાષ્ટ્રમાંથી રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન જાહેર કર્યા છે. જે ભાજપની સત્તા માટે લાલચ દર્શાવે છે. થોડા દિવસ પહેલા ફડણવીસે જાતે જ સરકાર રચવા માટે શિવસેના, NCP અને કોંગ્રેસને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમણે ટ્વીટ પણ કરી હતી કે, ભાજપ ક્યારેય પણ સંગઠનની સરકાર નહીં બનાવે અને આજે તેમણે પોતે જ મુખ્યપ્રધાનના શપથ લીધા છે."

મહારાષ્ટ્રની રાજનીતિ પર ગુજરાત કૉંગ્રેસના ભાજપ પર શાબ્દિક પ્રહાર

આગળ વાત કરતાં દોશીએ જણાવ્યું હતું કે, "જ્યારે અજિત પવાર સામે ભ્રષ્ટાચારનો કેસ થયો હતો, ત્યારે ભાજપે ખુલીને પવારનો વિરોધ કર્યો હતો. હવે સત્તા મેળવવા માટે ભાજપે તેના ભ્રષ્ટાચારને પણ ભૂલવી દીધો છે. ભાજપ તેની સાજીદારી અને ભાગીદારીના ઘણા નમૂનાઓ આપી ચૂક્યું છે. ભાજપના વિરોધી સાથે ભાજપને તકલીફ થતી આવી છે. પરંતુ જ્યારે-જ્યારે ભાજપને તેનો સાથ મળે ત્યારે ભાજપને તેનાથી કોઈ તકલીફ થતી નથી. ભાજપ સત્તા માટે કંઈ પણ કરી શકે છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રને લઈને કોંગ્રેસ રણનીતિ નક્કી કરશે."

Intro:અમદાવાદ:મહારાષ્ટ્રમાં રાતો-રાત પરિવર્તન થયું તેને લઈને સમગ્ર દેશનું રાજકારણ ગરમાયુ છે.આ મામલે ગુજરાત કોંગ્રેસે પણ ભાજપ પ્રહાર કર્યા છે અને જણાવ્યું છે કે ભાજપ સત્તા મેળવવા કોઈ પણ હદે જઈ શકે છે અને નિમ્ન પ્રકારની રાજનીતિ કરે છે..Body:ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપે નૈતિકતાને નેવે મૂકીને રાજનીતિ કરી છે.રાતોરાત રાષ્ટ્રપતિ શાસન હતી ગયું અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન માટે દાવો પણ કર્યો.શિવસેના,NCP અને કોંગ્રેસની સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસે જ શુભકામનાઓ આપી હતી.ઉપરાંત વડાપ્રધાને નિમ્ન કક્ષાના શબ્દો ncp વાપર્યા હતા.ફડણવીસે NCP માટે ટ્વિટ કર્યું હતું અને ક્યારેય ગઠબંધન ના કરવાની વાત કરી હતી...


ઉપરાંત દોશીએ જણાવ્યું હતું કે જે અજિત પવાર સામે ભ્રષ્ટાચારનો કેસ થયો ત્યારે ભાજપ તેનો વિરોધ કર્યો હતો અને હવે સતા મળી ત્યારે ભાજપ સાથે જોડાતા અજિત પવાર સ્વચ્છ થઈ ગયા.ભાજપ સાજીદરી અને ભાગીદારીના ઘણા નમૂનાઓ આપી ચુક્યા છે.જે ભાજપ વિરોધી હોય ત્યારર ભાજપને તકલીફ થાય છે અને સાથ આપે ત્યારે સારા લાગે છે.ભાજપ સત્તા માટે ક્યારેય કોઈની સાથે બેસી શકે છે.કોંગ્રેસ આગામી દિવસોમાં મહારાષ્ટ્રને લઈને રણનીતિ નક્કી કરશે...


બાઈટ- મનીષ દોશી(પ્રવક્તા- કોંગ્રેસ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.