ETV Bharat / state

Ahmedabad Crime: અમદાવાદમાં સફાઈ કામદાર મહિલાની હત્યા, નોકરીના સ્થળથી મળ્યો મૃતદેહ

author img

By

Published : Jul 20, 2023, 3:57 PM IST

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવતા હંસપુરા પાસે એક સફાઈ કામદાર મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 108 ના હેડ ક્વાર્ટર પાસે આવેલી સ્વપ્નિલ આર્કેડ નામની બિલ્ડિંગમાં કામ કરતી મહિલાની ત્યાં જ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મહિલા ઘરેથી કામે જવા નીકળી હતી. પરંતુ કામે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી હતી. અંતે તેઓની હત્યા કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. આ સમગ્ર મામલે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ શરૂ કરી છે.

નરોડામાં ઘરેથી કામે જવા નીકળેલી સફાઈ કામદાર મહિલાની હત્યા, નોકરીના સ્થળની બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ.
નરોડામાં ઘરેથી કામે જવા નીકળેલી સફાઈ કામદાર મહિલાની હત્યા, નોકરીના સ્થળની બિલ્ડીંગમાંથી મળ્યો મૃતદેહ.

નરોડામાં ઘરેથી કામે જવા નીકળેલી સફાઈ કામદાર મહિલાની હત્યા

અમદાવાદ: નરોડા હંસપુરા ખાતે રહેતા વિનોદભાઈ વાઘેલાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓ પરિવારમાં પત્ની અનિતાબેન વાઘેલા તેમજ ત્રણ બાળકો અને મોટાભાઈ ભાભી સાથે રહે છે. તેઓના ભાઈ ભાભી અપંગ હોય તે ઘરે જ રહેતા હોય ફરિયાદી વિનોદભાઈ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેઓના લગ્ન 15 વર્ષ પહેલા અનિતાબેન સાથે થયા હતા. વિનોદભાઈના પત્ની અનિતાબેન 108 ની સામે સ્વપ્નિલ આર્કેડમાં પાંચમા માળે ઓફિસમાં તેમજ બાજુમાં આવેલા હોલ અને સ્વપ્નિલ એલિગન્ટસની બાજુમાં આવેલા બિલ્ડિંગમાં સાફ-સફાઈ કરવાની મજૂરી કામ માટે જતા હતા. તેઓ સવારે 8 વાગે જતા હોય અને બપોરે દોઢ બે વાગે આસપાસ તમામ જગ્યાનું કામ પતાવીને ઘરે પરત આવતા હતા.

"મહિલાનો મૃતદેહ મળી આવતા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નરોડા પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરવા માટે અને હત્યાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે"-- વી.આર યાદવ (જી ડિવિઝનના એસીપી)

જાણવાજોગ ફરીયાદ કરી: તારીખ 18 મી જુલાઈ 2023 ના રોજ સવારના સમયે તેઓના પત્ની અનિતાબેન વાઘેલા ઘરેથી કામ માટે નીકળ્યા હતા. જોકે બપોરે 12:30 વાગે આસપાસ અનિતાબેન જે જગ્યાએ સ્વપ્નિલ એલીગન્સમાં સફાઈ માટે જતા હોય તે મહિલા અને અન્ય જગ્યાઓ પરથી ફોન આવ્યો હતો. ફરિયાદીની પત્ની અનિતાબેન હજુ સુધી કામ માટે આવ્યા નથી તેવી વાત કરી હતી. જેથી તેઓએ તેઓની પત્ની સ્વપ્નિલ માર્કેટમાં ઓફિસમાં કામ કરવા માટે જાય છે, ત્યાં તપાસ કરવાની શરૂ કરી હતી. પાંચમા માળે જઈને ઓફિસમાં તપાસ કરતા ત્યાં તેઓના પત્ની કામે ન આવ્યા હોય તે પ્રકારની હકીકત ધ્યાને આવી હતી. જે બાદ તેઓએ સગા સંબંધીઓને પત્ની અંગે પૂછપરછ કરી હતી. પરંતુ તેઓના પત્ની ક્યાંય પણ ન મળી આવતા તેઓ આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે જાણવાજોગ લખાવી હતી.

હત્યાની ફરિયાદ: જે બાદ તેઓને જાણવા મળ્યું હતું કે સ્વપ્નિલ આર્કેડમાં એક મહિલાની મૃતદેહ મળી આવ્યો છે. જે બાબતે તેઓએ ત્યાં જઈને તપાસ કરતા તે મૃતદેહ તેઓની પત્ની અનિતાબેન વાઘેલાનું અને તેઓને માથાના ભાગે અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી હોય તે સામે આવ્યું હતું. આ બાબતને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગુનામાં સામેલ 2 શકમંદોની તપાસ શરૂ કરી છે.

  1. Ahmedabad Crime: મકરબામાં માર્ચ મહિનામાં ફાયરિંગ કરનાર પિતા-પુત્ર સામે ગુનો, ધરપકડ થઈ
  2. Ahmedabad Crime : વિઝા માટે બાયોમેટ્રિક બારોબાર કરી છેતરપિંડી આચરનાર ઝડપાયા, આ રીતે આચરતા ઠગાઈ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.