ETV Bharat / state

એક સમયના બાળભિક્ષુક હવે કેવડિયામાં મોદી સામે બેન્ડ વગાડશે

author img

By

Published : Oct 29, 2022, 12:22 PM IST

Updated : Oct 29, 2022, 12:39 PM IST

જે બાળકો ભીખ માગતા હતા તે વડાપ્રધાન પ્રોત્સાહનમાં સરદાર પટેલ જયંતિ પર કેવડિયામાં પરફોર્મ કરશે
જે બાળકો ભીખ માગતા હતા તે વડાપ્રધાન પ્રોત્સાહનમાં સરદાર પટેલ જયંતિ પર કેવડિયામાં પરફોર્મ કરશે

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નગરના આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ (tribal childrens musical band) તારીખ 31 ઓક્ટોબરે કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પરફોર્મ કરશે. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન કેવડિયાની મુલાકાત લેવાના છે.

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30 ઓકટોબરથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિ છે, તે દિવસે વડાપ્રધાન મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એકતા પરેડમાં ભાગ લેશે. અને તે દરમિયાન આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ (tribal childrens musical band) પીએમ મોદી સામે પરફોર્મ કરશે.

મ્યુઝિકલ બેન્ડ પરફોર્મ અંબાજીમાં આ બેન્ડે પીએમનું સ્વાગત કર્યું હતું એવું પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન માટે મ્યુઝિકલ બેન્ડ પરફોર્મ કરશે. તારીખ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ, જ્યારે વડાપ્રધાન અંબાજી, ગુજરાતની મુલાકાતે ગયા હતા, રૂપિયા 7,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જ્યારે તેઓ જાહેર સમારોહ માટે આવી રહ્યા હતા, ત્યારે બેન્ડે વડાપ્રધાન સ્વાગત કર્યું હતું.

યુવા બેન્ડ પ્રદર્શન વડાપ્રધાન યુવા બેન્ડના પ્રદર્શનની માત્ર પ્રશંસા અને આનંદ માણ્યા જ નહીં પરંતુ તેમણે ખાતરી કરી કે જાહેર સમારંભ શરૂ થાય તે પહેલાં તેઓ વ્યક્તિગત રીતે તેમની સાથે વાતચીત કરે. પોતાના યુવા મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન તેમની સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.

આદિવાસી બાળકોની વાર્તા મુલાકાતીઓ સામે ભીખ માંગતા હતા આવા અસાધારણ સંગીત કૌશલ્યો શીખેલા આ આદિવાસી બાળકોની વાર્તા સાંભળવા જેવી છે. બાળકો એક સમયે તેમની મૂળભૂત જરૂરિયાતો અને શિક્ષણ મેળવવાની તક માટે લડતા હતા. તેઓ ઘણીવાર અંબાજી મંદિર પાસે જોવા મળતા હતા, જ્યાં તેઓ મુલાકાતીઓની સામે ભીખ માગતા હતા. અંબાજી સ્થિત શ્રી શક્તિ સેવા કેન્દ્ર નામની સ્થાનિક એનજીઓએ આવા બાળકો સાથે કામ કર્યું, કે જેથી તેમને માત્ર શિક્ષિત કરવા જ નહીં, પરંતુ તેઓ કઇ કૌશલ્યોમાં સારા છે તે પણ ઓળખી શકાય. એનજીઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા મ્યુઝિકલ બેન્ડ સાથે આદિવાસી બાળકોની કુશળતા વિકસાવી હતી.

તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ તારીખ 31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિ વડાપ્રધાન કેવડિયાની મુલાકાત લેશે. સરદાર પટેલને તેમની 147મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપશે. તે એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે ફાઉન્ડેશન કોર્સ હેઠળ વિવિધ સિવિલ સર્વિસીસ સાથે જોડાયેલા અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

Last Updated :Oct 29, 2022, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.