ETV Bharat / state

ખેલૈયાઓના રંગમાં ભંગઃ અરબી સમુદ્રમાં ભેજના કારણે વરસાદની શક્યતા

author img

By

Published : Oct 8, 2021, 3:13 PM IST

ખેલૈયાઓના રંગમાં ભંગઃ અરબી સમુદ્રમાં ભેજના કારણે વરસાદની શક્યતા
ખેલૈયાઓના રંગમાં ભંગઃ અરબી સમુદ્રમાં ભેજના કારણે વરસાદની શક્યતા

ખેલૈયાઓની મજા બગડશેઃ અરબી સમુદ્રમાં હજી ભેજનું પ્રમાણ હોવાથી નવરાત્રિના દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. તો બીજી તરફ નવરાત્રિના અંતમાં ચોમાસુ વિદાય લેવા તરફ આગળ વધશે તેવી સંભાવનાવો જોવા મળી રહી છે.

  • ખેલૈયાઓની વરસાદ બાજી બગડશે
  • અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ

અમદાવાદઃ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓની (navratri) વરસાદ બાજી બગડશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં હજી ભેજનું પ્રમાણ હોવાથી નવરાત્રિના દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. તો બીજી તરફ નવરાત્રિના અંતમાં ચોમાસુ વિદાય લેવા તરફ આગળ વધશે તેવી શક્યાતાઓ છે. આ સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24ટકા વધુ વરસાદ થયો છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી.

અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ પડતાં માંડવી અને મંડપો પલળી ગયાં હતાં. રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ(rain) ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. પરંતુ સ્થાનિક વાતાવરણના કારણે હળવા વરસાદ આવી શકે છે.

ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય તરફ

ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે . હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના માસમાં ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી ઋતુ શરૂ થશે. જો કે, નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે . જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે. 14 જિલ્લામાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14,31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઈ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45 ટકાથી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદી હવે ઘટ પણ રહી નથી .

જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ 138 ટકા વરસાદ

રાજ્યના 33 માંથી 14 જિલ્લામાં સીઝનના 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે, એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે. જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતો 24 ટકાથી વધુ વરસાદ ગુજરાતમા જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ હતી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં અને સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સિઝનમાં વરસાદના ખમૈયા

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની મહત્તમ ઘટ 15 ટકા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકાથી વધુ વરસાદ નોંધાર્યો છે. 14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ ગુજરાતમાં નથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં ગોરખનાથ મંદિર પર વીજળી પડતા મંદિરના ભાગને નુકસાન થયું

આ પણ વાંચોઃ Heavy Rain: છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોના પાક નમી ગયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.